દીક્ષા નગરી સુરત ખાતે વધુ બે દિક્ષાર્થીઓના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણ ખાતે રહેતા કદમ દોશીનો સીએની ફાઈનલમાં ગુરુ મહારાજનો પરિચય થયો હતો. કદમ સીએ થયા પછી નોકરીએ લાગ્યો હતો. ત્યાં જોયું કે રોજ ક્યાંકને ક્યાંક લાંચ આપવા જવું પડે છે. એ વાતનો એને અહેસાસ તેમને મનમાં ખટકતો હતો કે તેઓ આ ખોટું કામ કરી રહ્યા છે. આથી તેમને આ મામલે અનુભૂતિ થઈ અને તેઓ પોતાના ગુરૂ મહારાજ પાસે ગયા હતા.
ત્યારબાદ તેમને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. જીવનમાં દરેક વ્યક્તિ રોજ ક્યાંકને ક્યાંક ખોટું કરે છે. મારા માટે ભ્રષ્ટાચાર વૈરાગ્યનું નિમિત્ત બન્યો. દરેક વ્યક્તિ ઝીણવટથી જોશે તો તેને ક્યાંકને ક્યાંક સંસારનું રહસ્ય સમજાશે. જ્યાં સુધી આ સમજાતુ નથી ત્યાં સુધી જ સંસાર સારો લાગે છે. આ અનુભૂતિ બાદ કદમે ચાતુર્માસમાં ગુરુ મહારાજ સાથે વિહાર કર્યો અને બાદ તેને આ બધુ ક્ષણિક લાગ્યું હતું. બાદમાં છેલ્લાં બે વર્ષમાં બધુ છોડી દીક્ષાના માર્ગે ચાલી નીકળવાનું નક્કી કરી લીધું છે.
કદમની સાથે તેની બહેન વિદિશાએ પણ સંસારનો ત્યાગ કર્યો છે. તેને પણ પોતાના ભાઈ સાથે દિક્ષા લીધી છે. મુમુક્ષુ વિદિશાના મતે તેને આ પ્રેરણા ધોરણ બારનો અભ્યાસ પૂર્ણ કરી કૌતુકતાથી અધ્યાત્મમાં જોડાઈ હતી. આ દરમિયાન તેણે સંસાર અને સંયમના માર્ગને ત્રાજવે તોલતા સંયમના માર્ગનું પલ્લુ ભારે લાગ્યુ હતું. દીક્ષાની પરવાનગી લીધી. 99ની યાત્રાએ મારા મનોબળને દૃઢ બનાવી હતી. તે સમયે તેના પરિવારના લોકોનો વિરોધ હતો પરંતુ હવે આ સમારોહ યોજાયો ત્યારે પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. પરિવારમાંથી કદમ અને વિદિશા દીક્ષા લઈ રહ્યા છે ત્યારે તેઓ આ સમારોહમાં સંયમનો માર્ગ અપનાવી લીધો છે.
છેલ્લાં પાંચ વર્ષમાં દીક્ષાર્થીઓનું પ્રમાણ સુરતમાં વધી ગયું છે. એની પાછળનું કારણ ભૌતિકતાનો અતિરેક છે. ઉચ્ચ અભ્યાસ કર્યા પછી દીક્ષા લેનારાઓ પણ વધ્યા તેનું કારણ લોકો હાલના જીવનથી ત્રાસી ગયા છે. સંયમનો માર્ગ તેમને સુખ શાંતિ અને સમાધિનો લાગ્યો આથી સર્વસ્વ છોડી ઉચ્ચ આત્માઓ ચાલી નીકળે છે.