છટણીના દોરમાં હવે ઈન્ફોસિસે પોતાના 600 ફ્રેશર્સને કાઢી મુક્યા છે. આ પહેલા વિપ્રોએ પણ ફ્રેશર્સને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.
ઈન્ફોસિસે 600 ફ્રેશર્સની કરી છટણી
પહેલા વિપ્રોએ પણ ફ્રેશર્સને બતાવ્યો છે બહારનો રસ્તો
મંદી નહીં જાણો શું છે છટણી પાછળનું કારણ
ભારતની આઈટી દિગ્ગજ કંપની ઈન્ફોસિસે 600 નવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીએ જણાવ્યું છે કે ફ્રેશર્સને ઈન્ટરનલ એક્ઝામમાં ફેલ થવાના કારણે કાઢી મુકવામાં આવ્યા છે. ઈન્ફોસિસે પહેલા વિપ્રોને આજ કારણે ફ્રેશર્સને કાઢી મુક્યા હતા.
આઈટી સેક્ટરમાં મોટી સંખ્યામાં છટણી
ગ્લોબલ સ્તર પર મંદીની આશંકા અને કોવિડ મહામારીના કારણે આઈટી સેક્ટરમાં મોટી સંખ્યામાં છટણી ચાલી રહી છે. ગુગલ, માઈક્રોસોફ્ટ, મેટા, એમેઝોન અને ભારતમાં વિપ્રો, ઈન્ફોસિસ અને અન્ય આઈટી સેક્ટરની કંપનીના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની જાહેરાત કરવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર ભારતની 14 સ્ટાર્ટઅપ કંપનીઓએ જાન્યુઆરીમાં 2,100થી વધારે લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે.
ઓછી થઈ ગઈ કર્મચારીઓની સંખ્યા
એક રિપોર્ટ અનુસાર એક ફ્રેશર્સે જણાવ્યું, "મેં ઓગસ્ટ 2022માં ઈન્ફોસિસમાં કામ કરવાનું શરૂ કર્યું અને મને SAP ABAP સ્ટ્રીમ માટે ટ્રેનિંગ આપવામાં આવી. મારી ટીમના 150માંથી ફક્ત 60એ જ એક્ઝામ ક્લિયર કરી બાકી અમને 85ને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે."
શું કહ્યું કંપનીએ?
બીજી બાજુ કંપનીએ દરેક દાવાને નકારી દીધા છે અને કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યું કે ઈન્ટરનલ ટ્રેનિંગ વખતે લોકોને નોકરીમાંથી બહાર કરવામાં આવે છે. જણાવી દઈએ કે આઈટી સેક્ટરની ભારતની બીજી સૌથી મોટી કંપની ઈન્ફોસિસે 2023ની ત્રણ મહિનામાં નેટ પ્રોફિટમાં 13.4 ટકાનો વાર્ષિક વધારો નોંધાવ્યો હતો. આ વધારો 5,809 કરોડ રૂપિયાથી વધીને 6,586 કરોડ રૂપિયા થઈ ગયા છે.