ભારતીય નિકાસ સંગઠનોના ફેડરેશને (FIEO) શનિવારે કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનઔપચારિક શિખર બેઠક બંને દેશોના રણનીતિક સંબંધો માટે સારા છે. તેથી એશિયાના બે મોટા દેશો વચ્ચે રણનીતિક સંબંધો તો મજબૂત થશે, વિવાદના મુદ્દાઓને ઉકેલવાની તક પણ મળશે.
ચેન્નઇ શિખર વાર્તા વ્યાપાર અને અન્ય મુદ્દાને ઉકેલવા માટે વ્યવહારિક રચનાત્મક રીત : FIEO અધ્યક્ષ
ચીન સાથે ભારતની વેપાર ખાધ ચિંતાનો વિષય
ચીનમાં ભારતીય નિકાસની સંભાવના ખુબ જ વધારે
FIEOના અધ્યક્ષ શરદ કુમાર સરાફે એક નિવેદનમાં કહ્યું કે ચેન્નઇ શિખર વાર્તા વ્યાપાર અને અન્ય મુદ્દાને ઉકેલવા માટે વ્યવહારિક રચનાત્મક રીત છે. એમણે કહ્યું કે બંને પડોશીઓ વચ્ચે મતભેદ નવા નથી. અને તેમના સમાધાનની ચાવી રચનાત્મક વાતચીત અને સલાહ જ છે.
સરાફે કહ્યું કે ચીન સાથે ભારતની વેપાર ખાધ ચિંતાનો વિષય છે. ગત નાણાકીય વર્ષમાં તે 53 અરબ ડોલર (લગભગ 37000 કરોડ રૂપિયા) હતો. તેથી પણ વધારે ચિંતાનો વિષય ચીન દ્વારા ભારતીય સામાન માટે પોતાનું બજાર ન ખોલવું છે.
ચીનમાં ભારતીય નિકાસની સંભાવના ખુબ જ વધારે છે. તે 18 અરબ ડોલર (13000 કરોડ રૂપિયા) સુધી હોઇ શકે છે. જે અમેરિકાને કરવામાં આવતી 16.8 અરબ ડોલરની નિકાસથી વધારે છે. ભારતીય ડેરી ઉત્પાદન, સોયાબીન, ઘણા ફળો અને દવા કંપનીઓ માટે ચીન પોતાનું બજાર ખોલી રહ્યું નથી.
એમણે કહ્યું કે ભારત મોટુ બજાર છે અને ચીનના 25 ટકાની તુલનામાં 15 ટકા કોર્પોરેટ ટેક્સના દર નિકાસ માટે આકર્ષક સ્થળ છે. FIEOએ ચીની નાગરિકોને પાંચ વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝાની સુવિધા આપવાનું સ્વાગત કર્યું અને આશા દર્શાવી કે ચીન પણ ભારતીય નાગરિકોને આ પ્રકારની સુવિધા આપશે.