ભારતમાં મોંઘવારી દરમાં ઘટાડો થવાની સંભાવના છે. IMFનાં એક રિપોર્ટ અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો ફુગાવો 6.8%થી ઘટીને 5% પર આવી શકે છે.
મોંઘવારી દરમાં ઘટાડો થવાની સંભાવના
ફુગાવો 6.8%થી ઘટીને 5% પર આવી શકે
IMFએ જાહેર કર્યો રિપોર્ટ
બજેટ પહેલાં ભારત માટે એક સારી ખબર આવી છે. ભારતમાં મોંઘવારીનો દર ઘટી શકે છે. IMFની તરફથી જાહેર કરવામાં આવેલી રિપોર્ટ અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો ફુગાવો 6.8%થી ઘટીને 5% પર આવી શકે છે. વર્ષ 2024માં તે હજુ વધુ ઘટીને 4% થવાનો પણ અનુમાન છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વિષયે માહિતી આપી છે.
મોંઘવારીમાં થશે ઘટાડો
IMFમાં રિસર્ચ વિભાગનાં ખંડ પ્રમુખ ડેનિયલ લેહે જણાવ્યું છે કે બીજાં દેશોની જેમ ભારતમાં પણ મોંઘવારીનાં 2022નાં લેવલ 6.8% થી ઘટીને 2023માં 5% પર આવવાનો અનુમાન છે. 2024માં આ વધુ ઘટીને 4% પર આવી શકે છે.
2022ની તુલનામાં ઘટશે મોંઘવારી
IMFએ જણાવ્યું કે વિશ્વ આર્થિક પરિદ્રશ્યને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવી છે જેના અનુસાર 84% દેશોમાં 2022ની તુલનામાં 2023માં કન્ઝ્યૂમર પ્રાઈઝ ઈન્ડેક્સ આધારિત ફુગાવો ઘટશે.
કેટલો ઘટશે ફુગાવો?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ ફુગાવો 2022નાં 8.8% ઘટીને 2023માં 6.6 % પર અને 2024માં 4.3% પર આવી જશે. મહામારીથી પહેલાં 2017-19માં આંકડો આ આશરે 3.5% પર હતો.
ગ્લોબલ માંગનાં કારણે દેખાશે અસર
ફુગાવામાં ઘટાડાનો જે અનુમાન લગાવવામાં આવી રહ્યો છે તે આંશિક ધોરણે નબળી ગ્લોબલ માંગનાં કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈંધણનાં ભાવો પર આધારિત છે. તેનાથી એ પણ જણાવે છે કે નાણાકીય સખ્તાઈની પણ અસર થઈ રહી છે.