જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ઘુસણખોરીના પ્રયાસમાં એક આતંકીને સરહદ પર ઢેર કરી દેવામાં આવ્યો છે. રવિવારે સવારે બારામુલાના કસ્તૂરી નારમાં સરહદ પર ઘુસણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. જેમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. ત્યારે હજૂ પણ કેટલાક આતંકીઓ સાથે સેનાની અથડામણ ચાલુ છે.
546 આતંકી ઘુસણખોરીના પ્રયાસમાં
સરહદ પર ઈન્ટેલિજેન્સ એજન્સિએ એ ઈનપુટ આપ્યો હતો કે સરહદ પર ઘુસણખોરીના પ્રયત્ન માટે 546 આતંકી બેસેલા છે. વિતેલા બે દિવસોમાં સેનાએ ચાર આતંકીને ઠાર માર્યા છે. તેઓને ઘુસણખોરી માટે પાકિસ્તાની સેના મદદ કરી રહી છે. આ તમામ આકંકી સરહદ પર સેનાની પોસ્ટ પર નજર રાખીને બેઠા છે. તેઓને ઘુસણખોરી દરમ્યાન પાકિસ્તાની સેના તરફથી કવર ફાયર પણ આપવામાં આવી રહ્યુ છે.
સૂત્રોની માનીએ તો ફક્ત ટંગધર સેક્ટરમાં 79 આકંકીઓના મૂવમેન્ટ જોવા મળ્યા હતા. તેની સાથે જ કેરન સેક્ટરમાં લગભગ 117 આતંકીઓના એક્ટિવ હોવાની સૂચના છે. આ તમામ આતંકીઓને પાકિસ્તાની સેના પાસેથી મદદ મળી રહી છે.