હોટલાઈન પર પાકિસ્તાની આર્મીને કહ્યું, તમારા સૈનિકની લાશ લઈ જજો
જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં બનેલી આ ઘટનાની જાણકારી આપતા સેના્ના એક સિનિયર અધિકારીએ કહ્યું કે ઘુસણખોરની ઓળખ મોહમ્મદ શબ્બીર મલિક તરીકે થઈ છે. તે પાકિસ્તાની સૈનિક છે. મૃતક પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો મેમ્બર છે.
શું બની ઘટના, મેજર જનરલ અભિજીતે કર્યો ખુલાસો
જીઓસી 28 ડિવિઝનના મેજર જનરલ અભિજીત પેંઢારકરે કુપવાડામાં એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે નિયંત્રણ રેખા પર બન્ને સેનાઓની વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામનો ભંગ કરતા એક જાન્યુઆરીએ કુપવાડા જિલ્લાના કરન સેક્ટરમાં ઘુસણખોર અથવા બોર્ડર એક્શન ટીમ દ્વારા કાર્યવાહીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નિયંત્રણ રેખા પર તહેનાત સૈનિકોએ ત્વરિત કાર્યવાહી કરીને પાકિસ્તાની સૈનિકના ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને આતંકવાદીને ઠાર માર્યો હતો.
આતંકી પાસેથી એકે-47 રાઈફલ, તથા 7 હેન્ડ ગ્રેનેડ મળ્યાં
મૃતક આતંકી પાસેથી એકે-47 રાઈફલ, બીજા કેટલાક હથિયાર તથા 7 હેન્ડ ગ્રેનેડ પણ મળ્યાં છે.
હોટલાઈન પર પાકિસ્તાનને કહ્યું, તમારા આતંકીની લાશ લઈ જજો
ઠાર કરવામાં આવ્યાં બાદ ભારતીય સેનાએ હોટલાઈન પર પાકિસ્તાની સેનાને કહ્યું કે અમે એક આતંકીને ઠાર માર્યો છે તેની લાશ લઈ જજો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ આતંકવાદીઓનું મિશ્રણ
મેજર જનરલ અભિજીત પેંઢારકરે કહ્યું કે પાકિસ્તાને સરહદ પારના આતંકવાદને પ્રાયોજિત કરવાનું ચાલુ રાખ્યું છે. અમે હોટલાઇન પર પાકિસ્તાની સેનાનો સંપર્ક કર્યો. અમે તેમને મૃતકનો મૃતદેહ પાછો લેવા જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બીએટી (બોર્ડર એક્શન ટીમ)ને નિયમિત પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓનું મિશ્રણ કહેવામાં આવે છે, જે સરહદ પર ભારતીય સેના પર તેમના હુમલા માટે જાણીતા છે. પાકિસ્તાને હંમેશા આ આરોપોને નકારી કાઢ્યા છે.