નિર્દોષની માતા નાઝિયાએ કહ્યું કે 30 જાન્યુઆરીની રાત્રે જહાનનું અવસાન થયું. તેણે કહ્યું હું રાતે 1 વાગે શાહીનબાગથી પરત ફરી ત્યારે અન્ય બાળકોની સાથે તેને સૂવડાવ્યા બાદ હું પણ સૂવા જતી રહી હતી. સવારે જ્યારે અમે ઉઠ્યા ત્યારે તે જરા પણ હલી રહ્યો ન હતો.
શાહીનબાગ વિરોધ પ્રદર્શનની કાળજુ કંપાવનારી ઘટના
4 વર્ષના બાળકનું ઠંડીના કારણે થયું મૃત્યુ, બાટલા હાઉસમાં રહેતો હતો પરિવાર
માતાની સાથે રોજ જતો હતો વિરોધ પ્રદર્શનમાં
4 મહિનાનો દીકરો મોહમ્મદ જહાન રોજ શાહીનબાગ પ્રદર્શનમાં માતા સાથે જતો હતો. લોકો તેને વારાફરતી ખોળામાં લેતા અને તેના ગાલ પર તિરંગો બનાવતા. એક દિવસ તે દેખાયો નહીં. હાડ થીજાવનારી ઠંડીના કારણે તેનું મોત નીપજ્યું.
માતાએ આપ્યું આ નિવેદન
માતાએ કહ્યું કે હું હજુ પણ પ્રદર્શનમાં ભાગ લઈશ કારણ કે આ બાળકોના ભવિષ્યને માટે છે. માસૂમના માતા-પિતા મોહમ્મદ આરિફ અને નાઝિયા બાટલા હાઉસમાં એક ઝૂંપડીમાં રહે છે, અને તેમને 5 વર્ષની એક અન્ય દીકરી અને 1 વર્ષનો દીકરો પણ છે.
બરેલીનો છે પરિવાર
દંપતિ ઉત્તરપ્રદેશના બરેલીનો રહેવાસી છે. મુશ્કેલીથી તેમનું ગુજરાન ચાલે છે. આરિફ એમ્બ્રોડરી કારીગરની સાથે ઈ રિક્શા ચલાવે છે. પત્ની પણ એમ્બ્રોડરી કામમાં મદદ કરે છે. પિતાએ કહ્યું કે બેટા આ બે કામ કરીને પણ એટલું ન કમાઈ શક્યો કે તને બચાવી શકું. મેં મારા દીકરાની સાથે ઘણું જ ખોવ્યું છે.
સૂતા સૂતા જ થયું મૃત્યુ
માસૂમની માતા નાઝિયાએ કહ્યું કે જહાનનું મૃત્યુ 30 જાન્યુઆરીએ રાતે સૂતા સૂતા જ થયું હતું. તે રાતે 1 વાગે શાહીનબાગથી આવી ત્યારે 3 બાળકોને સૂવડાવ્યા પણ સવારે આ 4 મહિનાનો જહાન હલ્યો નહીં. તેને ઠંડી લાગી હતી અને તે જ તેના મૃત્યુનું કારણ બની.
...તો મારો દીકરો જીવિત હોત
નાઝિયાએ કહ્યું, 'હું આ બધું કેમ કરું છું? પોતાને માટે અને આપણા બાળકો માટે, જેને આ દેશમાં ઉજ્જવળ ભવિષ્યની જરૂર છે. સીએએ લોકોને ધર્મના આધારે વિભાજીત કરી રહ્યું છે અને તે સ્વીકારવામાં આવશે નહીં. મને ખબર નથી કે રાજકારણ આમાં સામેલ છે કે નહીં, પરંતુ તે મારા બાળકોના ભાવિની વિરુદ્ધ હશે, હું તેની પર સવાલ કરીશ.
પિતા આરીફે આ વાતને બાળકના મોત માટે ગણાવી જવાબદાર
તે જ સમયે આરિફે તેના બાળકના મોત માટે સીએએ અને એનઆરસીને દોષી ઠેરવ્યા. તેમણે કહ્યું હતું કે, 'જો સરકાર સીએએ અને એનઆરસી નહીં લાવે, તો ન તો લોકો રજૂઆત કરી શક્યા હોત, ન તો મારી પત્ની તેમાં જોડાઈ હોત અને આજે મારું બાળક જીવતું હોત'.