ટીમ ઇન્ડિયાના બેટ્સમેન માટે આ સીરિઝ સ્પેશિયલ સાબિત થઇ. સીરિઝમાં ટીમ ઇન્ડિયાના સલામી બેટ્સમેન મયંક અગ્રવાલ, રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલીએ ત્રણેય સેન્ચુરીઓ ફટકારી અને પોતાના કરિયરનો બેસ્ટ સ્કોર કર્યો.
આ સાથે જ મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ ડબલ સેન્ચુરી કરી. ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યુ હશે કે ટીમના 3 ખેલાડીઓએ ડબલ સેન્ચુરી કરી હોય.
મયંક અગ્રવાલે વિશાખાપટ્ટનમાં રમાયેલી પહેલી ટેસ્ટ ઇનિંગમાં 371 બૉલમાં 23 બાઉન્ડ્રી અને 6 સિક્સર્સની મદદથી 215 રન કર્યા. આ તેના કરિયરનો સૌથી બેસ્ટ સ્કોર છે.
સીરિઝની અંતિમ મેચ રાંચી એટલે કે ટીમ ઇન્ડિયા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. રોહિત શર્માએ માત્ર 225 બૉલમાં 28 બાઉન્ડ્રી અને 6 સિક્સર્સની મદદથી 212 રનની ઇનિંગ રમી. વનડેમાં ડબલ સેન્ચુરી કરનાર રોહિતની ટેસ્ટમાં આ પહેલી સેન્ચુરી છે.