બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઉદ્યોગપતિઓએ પત્નીઓ સામે જોતાં ફોટા મૂક્યાં, '90 કલાક કામવાળા' સુબ્રમણ્યમની ઉડી મજાક

વિવાદ / ઉદ્યોગપતિઓએ પત્નીઓ સામે જોતાં ફોટા મૂક્યાં, '90 કલાક કામવાળા' સુબ્રમણ્યમની ઉડી મજાક

Last Updated: 09:39 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'પત્નીઓ સામે ક્યાં સુધી તાક્યા કરશો, 90 કલાક કામ કરો' તેવું કહેવા બદલ એલએન્ડટીના ચેરમેન સુબ્રમણ્યમ પર ચારે બાજુએથી પસ્તાળ પડી હતી.

એલએન્ડટીના ચેરમેન સુબ્રમણ્યમને 90 કલાક કામ અને ઘેર બેસીને પત્નીઓ સામે ક્યાં સુધી તાકતા રહેશો એવું કહેવાનું ખૂબ ભારે પડ્યું છે. જ્યારથી તેમણે આવી સલાહ આપી છે કે ત્યારથી તેમની પર ચારે બાજુએથી પસ્તાળ પડી છે. બે જાણીતી હસ્તીઓએ પત્ની સામે તાકતી તસવીર શેર કરી છે.

રવિવાર એટલે પત્નીઓ સામે તાકવાનો દિવસ

ઉદ્યોગ જગતની હસ્તીઓએ સુબ્રમણ્યમની મજાક ઉડાવી છે, તેમણે એક સૂરે કહ્યું કે રવિવાર એટલે પત્નીઓ સામે તાકવાનો દિવસ. સરવાળે સુબ્રમણ્યમની કોમેન્ટ કોઈને પણ પસંદ પડી નથી.

પુનીત કુમારે પત્ની સામેની તસવીર શેર કરી

આનંદ મહિન્દ્રા, અદાર પૂનાવાલા અને અનુપમ મિત્તલે પણ સુબ્રમણ્યમની મજાક ઉડાવી છે. 90 કલાક કામ કરવાની તેમની સલાહ કોઈને પણ ગળે ઉતરી નથી. સ્ટેડવ્યુ કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર પુનીત કુમારે પણ પોતાની પત્ની તરફ જોતા એક રમૂજી ફોટો પોસ્ટ કર્યો, કેપ્શન આપ્યું: "રવિવારની સવારે સારી વર્કઆઉટ પછી મારી પત્ની તરફ જોવું! તમે તમારા રવિવારે શું કર્યું? બિગબાસ્કેટના સ્થાપક અને સીઈઓ હરિ મેનને એલએન્ડટીના ચેરમેન એસએન સુબ્રમણ્યનની ટિપ્પણીને રમૂજી હકારમાં રવિવારને "સ્ટાર-ડે" ગણાવ્યો હતો.

આનંદ મહિન્દ્રા શું બોલ્યાં

એસએન સુબ્રમણ્યમને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આકરો જવાબ આપીને ચૂપ કરી દીધાં છે. દિલ્હીમા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગને સંબોધિત કરતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ મુદ્દે ચર્ચા ખોટી છે, કારણ કે હું જથ્થાબંધ કામમાં નહીં પરંતુ કામની ગુણવત્તામાં માનું છું. મારો મુદ્દો એ છે કે આપણે કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કામના જથ્થા પર નહીં. તેથી તે લગભગ 48, 40 કલાકની વાત નથી, તે લગભગ 70 કલાકની નથી, તે 90 કલાકની પણ વાત નથી. પત્નીને ક્યાં સુધી ઘુર્યાં કરશો આ ટીપ્પણીનો જવાબ આપતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે હું સોશિયલ મીડિયા પર X પર છું એટલા માટે નહીં કે હું એકલો છું. મારી પત્ની અદ્ભુત છે, મને તેની તરફ જોવું ગમે છે. હું વધુ સમય પસાર કરું છું. તેથી હું અહીં મિત્રો બનાવવા માટે નથી. હું અહીં છું કારણ કે લોકો સમજી શકતા નથી કે તે એક અદ્ભુત વ્યવસાય સાધન છે. આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા માનતા હતા કે તેમની કંપનીમાં એવા નેતાઓ અને લોકો હોવા જોઈએ જે સમજદારીભર્યા નિર્ણયો અને પસંદગીઓ કરે.

શું બોલ્યાં હતા L&T ચેરમેન

L&T ચેરેમન એસએન સુબ્રમણ્યમે પણ આવું નિવેદન આપવા બદલ સોશિયલ મીડિયામાં નિશાન પર આવ્યાં છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્મચારીઓને સંબોધતા સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મને ખેદ છે હું તમને રવિવારે કામ કરવા માટે સક્ષમ નથી. જો હું તમને રવિવારે પણ કામ પર લઈ જઈ શકું તો મને ખૂબ આનંદ થશે. કારણ કે હું રવિવારે પણ કામ કરું છું. તેમણે કામના કલાકો વધારવાની હિમાયત કરી હતી. એસએન સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ વીકએન્ડનો સમય ઘરે ન પસાર કરવો જોઈએ. તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને ક્યાં સુધી જોઈ શકો છો? તમારી પત્ની ક્યાં સુધી તમારી સામે જોઈ શકે છે? કર્મચારીઓએ રવિવારે પણ ઓફિસમાં આવીને કામ કરવું જોઈએ. આ ટીપ્પણી પર મોટો વિવાદ થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sn subrahmanyan adar poonawalla Anand Mahindra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ