દેશના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બ્રજ મોહન ખેતાનનું નિધન થયું છે. 92 વર્ષીય ખેતાન તેમના કોલકત્તા સ્થિત આવાસે નિધન પામ્યા. એમના નિધનના સમાચારથી ઉદ્યોગ જગત શોકમાં મુકાયું છે. એમણે વૃદ્ધાઅવસ્થા સાથે જોડાયેલી બીમારીથી પીડિત હતા.
ખેતાન વિલિયમસન મેગર સમૂહના ફાઉન્ડર હતા. જે બેટરી, ચાથી લઇને એન્જિનિરીંગ સેવાઓના વેપાર સાથે સંકળાયેલા છે. હાલમાં જ વૃદ્ધાવસ્થાનો હવાલો આપી ખેતાને સમહૂની બે મુખ્ય કંપનીઓ એવરેડી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મેકલોડ રસેલ ઇન્ડિઆ લિમિટેડના ડિરેક્ટર બોર્ડથી રાજીનામું આપ્યું હતું. જોકે, એમણે સમૂહની બંને કંપનીઓના માનદ ચેરમેન હતા.
ખેતાન 1990માં એ સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે એમણે અમેરિકી રસાયણિક કંપની યૂનિયન કાર્બાઇડના ભારતીય વેપારનું અધિગ્રહણ કર્યું હતું. આપને જણાવીએ કે યૂનિયન કાર્બાઇડ એ કંપની છે, જેમના ભોપાલ સ્થિત સંયંત્રથી મિથાઇલ આઇસોસાઇનેટ ગેસનો રિસાવ થયો હતો.
ખેતાનને ચા ઉદ્યોગનો પણ ચાર દાયકાનો અનુભવ હતો. એમણે બિશનાથ ટી કંપનીના એમડી અને સન 1973માં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ પણ રહ્યા હતા. એમને 2013માં આઇસીસીએ લાઇફટાઇમ એચીવમેન્ટથી નવાજ્યા હતા. એમના નિધન પર આઇસીસીએ શોક પ્રગટ કર્યો છે.