પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અદી ગોદરેજે શનિવારે ચેતવણી આપી છે કે, અસહિષ્ણુતા, ઘૃણાકીય ગૂનો અને નૈતિકતાના નામ પર થતી ઘટનાઓ રાષ્ટ્રના વિકાસને 'ગંભીર નુકશાન' પંહોચાડી શકે છે. જોકે, ગોદરેજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળ દરમિયાન નવા ભારતના નિર્માણ અને અર્થવ્યવસ્થાનો આકાર લગભગ બે ગણો કરી 5000 અરબ ડોલર સુધી પહોંચાડવાની 'દિર્ધ દ્રષ્ટી' માટે તેમને ધન્યવાદ પાઠવ્યા છે.
ગોદરેજે કહ્યું કે, 'આપણે એક એવા ભારતની કલ્પના કરીએ છીએ જ્યાં ભય અને શંકાનો માહોલ ના હોય અને રાજનીતિક નેતૃત્વ પર જવાબદેહ હોવાનો ભરોસો કરી શકીએ.' એમણે કહ્યું કે દેશમાં સ્થિતિ ઠીક નથી. એમણે સામાજિક મોર્ચે ઉભી થયેલી ચિંતાઓ તરફ ઇશારાઓ કરતા આર્થિક વિકાસ પર પડતા તેમના દુષ્પ્રભાવને લઇને ચેતવણી આપી છે.
ગોદરેજ ઇન્ડિયન ઇંકના પહેલા એવા વેપારી છે કે જેમણે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં પણ બીફ મુદ્દે પોતાની વાત મુકી હતી. મે 2016માં ઇન્ડિયન એક્સપ્રેસના એક ઇન્ટરવ્યૂમાં ગોદરેજે કહ્યું હતું કે બીફ પર પ્રતિબંધથી ભારતની અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે. એમનું કહેવું હતું કે પ્રતિબંધિત અર્થવ્યવસ્થાની સાથે સામાજીક ઢાંચા માટે ઠીક નથી.
ગોદરેજે સેન્ચ ઝેવિયર્સ કોલેજની 150માં વર્ષગાંઠની ઉજવણી માટે આયોજીત એક સભામાં સંબોધિત કરતા ચેતવણી આપી કે, 'તમામ વસ્તુ ઠીક છે એવું નથી, આપણે મોટા પ્રભામાં વધતી સાધનહીન બનાવવાની પ્રવૃત્તિને નજરઅંદાજ ન કરવી જોઇએ, જે આગળ ચાલીને આપણા વિકાસ ગતિને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે.
અદી ગોદરેજ કહ્યું કે, એ આપણાને ક્ષમતાઓનું પૂર્ણ દોહન કરવાથી રોકી શકે છે.' દેશના પ્રમુખ ઉદ્યોગપતિએ આ વાતને લઇને ચેતવણી આપી છે કે, સામાજીક સમરસતા વધારવા માટે દેશમાં 'વધતી અસહિષ્ણુતા, સામાજિક અસ્થિરતા, ઘૃણા-ગૂના, મહિલાઓ વિરુદ્ધ હિંસા, નૈતિક દેખરેખ, જાતિ અને ધર્મ આધારિત હિંસા અને ઘણા અન્ય પ્રકારની અસહિષ્ણુતા દૂર નહીં કરવામાં આવી તો આર્થિક વિકાસ પ્રભાવિત થશે.'
આ સાથે બેરોજગારી મુ્દ્દે જણાવ્યુ કે, બેરોજગારી 6.1 ટકાના 4 દાયકાના ઉચ્ચ સ્તરે છે. અને આ સમસ્યાને જલ્દી જ ઉકેલ લાવવામાં આવવો જોઇએ.