બોલીવૂડ ઇન્ડસ્ટ્રી માટે 2020નું વર્ષ ખુબ ખરાબ રહ્યું છે. ઇરફાનથી લઇને સુશાંત સુધીના સ્ટાર્સ આપણી વચ્ચે નથી રહ્યાં ત્યારે વધુ એક વ્યક્તિનું નિધન થયુ છે.
સુશાંત, ઇરફાન, ઋષિ કપૂર જેવા દિગ્ગજ સિતારાઓએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ અને હવે ફિલ્મ ઇન્દુ કી જવાનીના પ્રોડ્યુસર રેયાન સ્ટીફનનું પણ નિધન થયુ છે.
રેયાન થોડા દિવસ પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમનો ઇલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યાં હતો અને બાદમાં તેમણે શ્વાસ રોકી લીધા હતા.
રેયાન લાંબા સમય સુધી કરન જોહરના ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલા રહ્યાં હતા. ઇન્દુ કી જવાની અને નેહા ધૂપિયા તેમજ શ્રુતિ હાસનની શોર્ટ ફિલ્મ દેવીના કારણે રેયાન ચર્ચામાં હતા. રેયાનના નિધનની જાણકારી બોલીવૂડ એક્ટર મનોજ બાજપેયીએ આપી હતી.
તેણે એક ટ્વિટ કર્યુ અને કહ્યું કે જીવન ક્રુર છે પરંતુ તમે દયાળુ હતા રેયાન સ્ટીફન. એક નિર્દયી દુનિયામાં તમારી કરુણા માટે ધન્યવાદ. મને ખુશી છે કે આપણે ઘણી વાર્તા પર સાથે કામ કર્યુ હતુ.
અરીજીતની માતાનું પણ નિધન
અરીજીતની માતા કોરોના પોઝીટીવ હતી અને તેમની હાલત સતત ખરાબ થઇ રહી હતી. તેમને કોલકાતાના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે આજે તે જ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
ફિલ્મ દિલ બેચારાની એક્ટ્રેસ સ્વસ્તિકા મુખર્જીએ ગુરુવારે સોશ્યલ મિડીયા પર પોસ્ટ લખીને મદદ માંગી હતી કારણકે અરીજીત સિંહની માતા હોસ્પિટલમાં દાખલ હતા. સ્વસ્તિકાએ પોતાની પોસ્ટ પર અર્જન્ટ એસઓએસ પણ લખ્યું હતુ. તે સિવાય ડિરેક્ટર શ્રીજીત મુખર્જીએ પણ અરીજીતની માતા માટે મદદ માંગી હતી.
સ્વસ્તિકાએ લખી હતી પોસ્ટ
સ્વસ્તિકા મુખર્જીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરી હતી અને તેણે લખ્યું કે, એ નેગેટીવ બ્લડ ડોનરની જરૂર છે. અરીજીત સિંહની માતા અર્મી ડકૂરીયા હોસ્પિટલમાં દાખલ છે. આજે જ જરૂર ચે અને સ્વાતિને કોન્ટેક્ટ કરો જે પણ વેરિફાઇડ ડોનર્સ છે. આ સાથે સ્વસ્તિકાએ કેપ્શનમાં અર્જન્ટ એસઓએસ પણ લખ્યું છે. ડાયરેક્ટર શ્રીજીત મુખર્જીએ બંગાળી ભાષામાં ટ્વિટર પર પોસ્ટ લખી છે અને તેની સાથે સ્વસ્તિકાએ જે પોસ્ટ લખી છે તે ફોન નંબર પણ મેન્શન કરવામાં આવ્યો છે.