કોરોનાને લીધે અનેક સામાન્ય લોકોની સાથે જાણીતી હસ્તીઓના પણ મૃત્યુ થયાં છે ત્યારે બોલીવૂડના ફિલ્મ નિર્માતા રાયન સ્ટીફનનું કોરોનાથી નિધન થયું છે.
બોલીવૂડથી આવ્યા વધુ એક માઠા સમાચાર
ફિલ્મ નિર્માતા રાયન સ્ટીફનનું નિધન
કોરોનાની ચાલી રહી હતી સારવાર
ઉલ્લેખનીય છે કે, ઈંદુ કી જવાનીના નિર્દેશક અબીર સેનગુપ્તાએ રાયન સ્ટીફનના મૃત્યુની પુષ્ટી કરતા જણાવ્યું હતુ કે, રાયન છેલ્લા કેટલાક દિવસથી ગોવામાં રહેતા હતા અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જો કે, આજે સવારે તેમનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. રાયન 50 વર્ષની ઉંમર ધરાવતા હતા અને તેઓ ખૂબ જ હસમુખા સ્વભાવના વ્યક્તિ હતી.
ઈંદુ કી જવાનીના નિર્માતા હતા રાયન
રાયન સ્ટીફન કરણ જોહરના પ્રોડક્સન હાઉસની સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે કિયારા અડવાણી અને આદિત્ય સીલ સ્ટાર ઈંદુ કી જવાની સિવાય શોર્ટ ફિલ્મ દેવી પણ પ્રોડ્યૂસ કરી હતી જેમાં કાજોલ સાથે કામ કર્યું હતું.
બોલીવૂડ શોકમગ્ન
તેમના નિધનને પગલે બોલાવૂડમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. તો અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયામાં પર રાયનને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. જેમાં મનોજ વાજપાઈ, વરૂણ ધવન, દીયા મિર્ઝા, કિયારા અડવાણીનો સમાવેશ થાય છે.
બોલીવૂડે આપી શ્રદ્ધાંજલિ
કિયારા અડવાણીએ રાયન સ્ટીફનને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા લખ્યું હતું કે, અમારા પ્રિય રાયન ખૂબ જ ઝડપથી છોડીને ચાલ્યા હતા. તો મનોજ વાજપાઈએ રાયનને યાદ કરતા લખ્યું- અમારા બધા માટે આઘાતજનક સમાચાર છે. તેઓ સારા માણસ હતા. હું તમને મિસ કરીશ મારા મિત્ર.