પ્રભારી રઘુ શર્માએ બેઠક કરી ઇન્દ્રનીલ રાજ્યગુરુને મનાવી લીધા, હાલ તો સૌરાષ્ટ્ર કોંગ્રેસ તૂટતી બચી ગઈ છે..
ઈન્દ્રનીલ રાજ્યગુરૂ નહીં આપે રાજીનામું
નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરુણે મનાવવામાં સફળ થયા હોદ્દેદારો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. નેતાઓ નારાજ થઈ કોઈ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે તો કોઈ ખેસ ધારણ કરી રહ્યા છે ગત રોજ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ભાવનગરમાં પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું.ત્યારે આ વખત કોંગ્રેસમાં કોઈ ફૂટ ન પડે તેને લઈને પહેલાથી સક્રિય દેખાઈ રહી છે. નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને મનાવવામાં સફળતા મળી છે.
પ્રભારી રઘુ શર્મા સાથેની બેઠકમાં ઇન્દ્રનીલને મનાવાયા
સૌરાષ્ટ્રના જાણીતો..કોંગ્રેસનો માનીતો અને મોટો ચહેરો ઇન્દ્રનીલ રાજ્યગુરૂ હમણાં થોડા દિવસથી કોંગ્રેસ પાર્ટી આંતરિક ડખામાં નારાજ ચાલી રહ્યા હતા જે બાદ તેમણે ભાવનગર પ્રભારી પદેથી રાજીનામું ધરબી દીધું હતું. અને કોંગ્રેસનો હાથ છોડવાનું પણ જાણે નક્કી જ કરી લીધું હતું. તેવામાં ડેમેજ કંટ્રોલ કરવા પહેલા જ પાર્ટીના પ્રભારી રઘુ શર્મા એક્ટિવ થઈ ગયા હતા. અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂને મળવા બોલાવ્યા હતા. જે બાદ આજે મોટી સાંજે થયેલી બેઠકમાં નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને મનાવવામાં રઘુ શર્મા સફળ રહ્યા હતા. નારાજગીના કારણો સાંભળી તેણે દૂર કરવાનો દિલાસો આપતા જ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપે તેવી હામ ભરી છે.
AAPમાં જોડાશે તેના પર લાગ્યું પૂર્ણ વિરામ
મહત્વનું છે કે AAP પાર્ટીમાં જોડાવવાની વહેતી વાતો વચ્ચે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ગઈકાલે જ સમર્થકો અને કાર્યકરો સાથે રાત્રે કરી બેઠક કરી હતી. જે બાદ લગભગ લગભગ નક્કી જ હતું કે 3 એપ્રિલના કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ઝાડુ પકડી લેશે. પણ રાજનીતિમાં કઈ જ નક્કી રહેતું નથી. હાલ તો બીજી વખત કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું વિચારી રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ માની ગયા છે જેથી સૌરાષ્ટ્ર કોંગ્રસને ઝટકો લાગતા પહેલા જ મલમ લાગી ગયું છે.