રાજકોટ શહેરના આ દિગ્ગજ નેતાની ફરી સક્રિય રાજકારમણમાં એન્ટ્રીના ભણકારા વાગી રહ્યાં છે. જો કે કોંગ્રેસના આ પૂર્વ નેતાની એન્ટ્રીને લઇને રાજકારણ ગરમાયું છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીના ગઢમાં જો આ નેતા સક્રિય થાય તો ભાજપ માટે ફરી કપરા ચઢાણ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સક્રિય રાજકારણમાં ફરી પ્રવેશ કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.
ઇન્દ્રનીલ રાજયગુરુ ટૂંક સમયમાં આવે કોંગ્રેસમાં
શક્તિસિંહ ગોહિલની દરમિયાનગીરીથી આવશે કોંગ્રેસમાં
થોડા દિવસ પહેલા જ દિલ્લીમાં તખ્તો ઘડાયો હોવાનું અનુમાન
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ટૂંક સમયમાં કોંગ્રેસમાં આવી શકે છે. શક્તિસિંહ ગોહિલની દરમિયાનગીરીથી રાજ્યગુરૂ કોંગ્રેસમાં આવે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા જ દિલ્લીમાં તખ્તો ઘડાયો છે.
મનપાની ચૂંટણીમાં ઈન્દ્રનિલને પ્રદેશમાં મહત્વની જવાબદારી આપવામાં આવશે. સૌરાષ્ટ્રના મહત્વના નેતા તરીકે ઈન્દ્રનિલને પ્રમોટ કરવામાં આવશે. અશોક ડાંગર સહિતના દિગ્ગજ નેતાને વિશ્વાસ લીધા બાદ નિર્ણય લેવામાં આવશે. હાલમાં ઈન્દ્રનીલ મુદ્દે કોંગ્રેસના નેતા સાથે સમજાવટની પ્રક્રિયા શરૂ થઈ છે. થોડા સમયમાં ઈન્દ્રનિલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે.
રાજકોટમાં બે દિગ્ગજ નેતા ફરી એક વખત રાજકારણમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ અને ભાજપના રાજભાની ફરીથી એન્ટ્રી થાય તેવી સંભાવના છે. મનપાની ચૂંટણી પહેલા બન્ને નેતાઓ સક્રિય થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂને મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં લાવવા માટે કવાયત કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.