રાજકોટ મનપાની ચૂંટણી પહેલા નવા રાજકીય સમીકરણો વહેતા થયા છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ ઘર વાપસી કરવાની શક્યતાઓ છે તો પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન રાજભા ઝાલા આમ આદમીમાં જોડાવાની તૈયારીઓ દર્શાવી છે.
રંગીલા રાજકોટમાં રાજકીય દોડધામ
ત્રીજા મોરચે મેદાનમાં આવે છે AAP
શું ભાજપના ગઢમાં પડશે ગાબડું?
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી બાકી છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં ગતિવિધિ પણ તેજ થઇ છે. રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને મહાનગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. ગત અઠવાડિયે અમદાવાદ ખાતે રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તો આગામી સમયમાં દિલ્હી ખાતે પણ તેમને બોલાવ્યા હોવાનું રાજભા ઝાલાએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ થોડા દિવસ પહેલા મનપા બધી બેઠકો લડવાની વાત કર્યા બાદ કદાવર ચહેરાની શોધ શરૂ કરી છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસીના એંધાણ
તો બીજી તરફ કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસીના એંધાણ પણ મળી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુની જૂથ ગત અઠવાડિયે જ પાર્ટીને ઇન્દ્રનીલની વાપસી અંગે રજૂઆત કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ન હોવાના કારણે લોકસભામાં કોંગ્રેસનો રાજકોટ બેઠક પર નબળો દેખાવ રહ્યો હતો. ત્યારે કોંગ્રેસનું એક જૂથ પાર્ટીને ઇન્દ્રનીલની ઘરવાપસી કરાવવા માટે રજૂઆત કરી રહ્યું છે.
હું કોંગ્રેસ નથી પણ કોંગ્રેસની સાથે હમેશા છું
તો બીજું ઇન્દ્રનીલની ઘરવાપસી ન થાય તે માટે પણ રજૂઆત કરી રહ્યું છે ત્યારે આગામી સમયમાં રાજકોટ શહેર કોંગ્રેસમાં ઇન્દ્રનીલની વાપસી થાય છે કે કેમ તે જોવું અતિ મહત્વનું રહેશે.જો કે આ મામલે મિડીયા સાથેની વાતચીતમાં ઇન્દ્રનીલ રાજગુરુ એ એક જ વાક્યમાં ઘણું બધું કહી દીધું હતું. હું કોંગ્રેસ નથી પણ કોંગ્રેસની સાથે હમેશા છું. કોંગ્રેસને નુકસાન થાય તેવા ક્યારેય મારા પ્રયત્નો નહી હોય. દિલ્હી સંબંધો અને પ્રદેશના નેતાઓ સાથે સંબંધો હોવાથી ઉમળતો રહે છે.
શાસક પક્ષે કહ્યું ભાજપના કામ બોલે છે
આ તમામ અટકળો વચ્ચે શાસક પક્ષ ભાજપની પ્રતિક્રિયાઓ આવી હતી ભાજપના કામ બોલે છે મુખ્યમંત્રી રાજકોટના વિકાસ માટે અનેક કામો કર્યા છે.. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આવતીકાલે પણ રહેવાનો છે. ગુજરાતમાં ત્રીજા પક્ષનો કોઈ સવાલ જ નથી કેશુભાઈ પટેલે પણ ત્રીજો પક્ષ રચ્યો હતો,વિધાનસભા અને લોકસભામાં રાજકોટની તમામ બેઠક પર ભાજપનો વિજય થયો છે.
કોંગ્રેસ-ભાજપે લગાવ્યું એડીચોરનું જોર
રાજકોટ ભાજપનો ગઢ છે ત્યારે કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓએ ભાજપને ટક્કર આપવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. બન્ને નેતાઓ કદાવર અને રાજકીય અનુભવની સાથે સાથે આર્થિક રીતે પણ સક્ષમ છે, જોગનું જોગ રાજભા ઝાલા અને ઇન્દ્રનીલ રાજગુરૂ બને સારા મિત્રો પણ છે. ત્યારે આવતા દિવસોમાં કેવા રાજકીય સમીકરણો રચાઇ છે તે સમય નક્કી કરશે.