કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે હાર્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જૂથવાદને લઇને નારાજગીના કારણે કોંગ્રેસ છોડી હતી. આમ રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય જોવા મળી રહી છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાશે
હાર્દિક પટેલ અને અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે
જૂથવાદથી નારાજ થઈને છોડી હતી કોંગ્રેસ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ફરી ઘરવાપસી થઇ રહી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની મધ્યસ્થીના કારણે કોંગ્રેસમાં જોડાશે.રાજ્યસભાના સાંસદ શક્તિસિંહની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાશે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાર્દિક પટેલ, પરેશ ધાનાણી અને અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે રાજકોટમાં કુંવરજી બાવળિયા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે જૂથવાદ હતો. આમ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જૂથવાદથી નારાજ થઇને કોંગ્રેસ છોડી દીધી હતી.