Indore News રામનવમીના દિવસે ઈન્દોરના મંદિરમાં બનેલ દુર્ઘટનામાં કેટલાક લોકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે તો કેટલાકે તેમના પુત્ર, પુત્રી અથવા પત્નીને ગુમાવ્યા છે.
ઈન્દોરના ઝુલેલાલ મંદિરમાં થઈ હતી મોટી દુર્ઘટના
રવિ પાલનામની વ્યક્તિએ ગુમાવ્યો આખો પરિવાર
કહ્યું જીવતા બચીને બહાર આવ્યા પછી પણ પણ અકસ્માતનો ભય હજુ છે
Indore News રામનવમીના દિવસે ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં ઈન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થઈ હતી. ભગવાનના જન્મના થોડા સમય પહેલા મંદિરમાં આરતીની તૈયારી થઈ રહી હતી અને અચાનક કૂવાની છત ધસી પડી હતી. આ અકસ્માતમાં કેટલાકે તેમના માતા-પિતા ગુમાવ્યા છે તો કેટલાકે તેમના પુત્ર, પુત્રી અથવા પત્નીને ગુમાવ્યા છે.
એવામાં નવલખાના રહેવાસી રવિ પાલનામની વ્યક્તિએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તે તેની માતા પુષ્પા પાલ, પત્ની વર્ષા અને પુત્ર તન્નુ સાથે રામ નવમીના હવનમાં સામેલ થયો હતો અને એ સમયે તે તેના પરિવાર સાથે બાવડીમાં પડ્યો હતો. પણ તેને તરતા આવડતું હતું એટલે એ પોતે તરીને બહાર નીકળ્યો અને બીજા એક વ્યક્તિનો પણ તેને જીવ બચાવ્યો હતો.
Stepwell collapse at Indore temple | Death toll rises to 35
18 people were admitted to the hospital, out of which 2 people have been discharged. 35 people died. One person is still missing. Army, NDRF & SDRF teams are conducting search & rescue operation: Indore Collector Dr… pic.twitter.com/3Ff6VzAkXs
આ ઘટના હૃદયદ્રાવક હતી
આ વિશે વધુ વાત કરતાં રવિપાલે જણાવ્યું કે ઘણા પ્રયત્નો પછી પણ તે તેના પરિવારને શોધી શક્યો નહતો. મંદિરની અંદર એ સમયે તેને તેના પુત્રનો હાથ પકડી રાખ્યો હતો પણ અચાનક અકસ્માત થતાં તેનો હાથ છૂટી ગયો હતો. અકસ્માત બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા રવિપાલે જણાવ્યું હતું કે આ ઘટના હૃદયદ્રાવક હતી. જીવતા બચીને બહાર આવ્યા પછી પણ પણ અકસ્માતનો ભય હજુ છે.
હજી સુધી કાકી વિશે કોઈ માહિતી મળી નથી
આ અકસ્માતમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 18 લોકો બચી ગયા છે એવામાં બીડીએસની વિદ્યાર્થિની પૂજા કુકરેજાનો પણ આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, આ વિશે વાત કરતાં પૂજાએ જણાવ્યું હતું કે તે તેની કાકી સાથે હવનમાં ગઈ હતી. અકસ્માત થતાં જ બંને કૂવામાં પડ્યા હતા, અકસ્માત બાદ ઘણી મુશ્કેલીથી તેને બચાવવામાં આવી હતી પણ હજી સુધી કાકી વિશે કોઈ માહિતી મળી નથી. પૂજાએ કહ્યું કે જ્યારે તે મંદિરમાં પ્રવેશી રહી હતી ત્યારે કોઈએ તેને રોકીને કહ્યું હતું કે અંદર ઘણી ભીડ છે. આવી સ્થિતિમાં તેને જ્યાં જગ્યા મળી ત્યાં તેઓ બેસી ગયા હતા.
35 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
જણાવી દઈએ કે આ ઘટનામાં અત્યાર સુધી 35 લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવી ચુક્યા છે. ત્યાં જ 18 લોકોને જીવતા કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઈન્દૌર કલેક્ટરના જણાવ્યા અનુસાર 18 કલાકથી જૂના ઈન્દોર વિસ્તારમાં સ્થિત બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
કલેક્ટરે જણાવ્યું કે ઘટનામાં ગંભીરતાને જોતા મજીસ્ટ્રેટિવલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમાં ઘટનાના કારણની જાણકારી મેળવવાની સાથે સરકારી એજન્સીઓની ભુમિકા પણ જોવામાં આવશે.
કરવામાં આવશે તપાસ
તેમણે જણાવ્યું કે તપાસમાં જાણકારી મેળવવામાં આવશે કે કાર્યવાહીમાં કયા કયા અધિકારીઓ કે કર્મચારીઓએ બેદરકારી કરી છે. તેમણે જણાવ્યું કે ઘટનાના 15 મિનિટની અંદર જ રાહત ટીમ પહોંચી ગઈ હતી. ત્યાં જ જે દોરી તૂટવાનો મહિલાનો વીડિયો છે તે રેસ્ક્યૂ ટીમ પહોંચવાની બાદનો છે.
રેસ્ક્યૂ માટે બોલાવવી પડી સેના
લાંબો સમય રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યા હાદ પણ જ્યારે કોઈ ખાસ લાભ ન થયો તો સેના બોલાવવી પડી. ત્યાર બાદ પાંચ કલાકની અંદર 21 મૃતદેહને બગાર કાઢી લેવામાં આવી શકે છે. ત્યાં જ અત્યાર સુધી કુલ 35 મૃતદેહને કાઢી લેવામાં આવી ચુક્યા છે.