શિવરાજ કેબિનેટમાં મંત્રી ઈમરતી દેવી પર મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હવ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કમલનાથના નિવેદનની વિરુદ્ધ ઈન્દોરમાં મૌન ધરણા પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે કમલનાથે ઈમરતી દેવીને ‘આઈટમ’ કહ્યું હતુ. આ બાદ ચૂંટણી ટાણે ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે.
સીએમ શિવરાજ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીડી શર્મા મૌન વ્રત પર
શબ્દ વાપરી પોતાની સામ્યવાદી વિચારસરણી છતી કરી છે- શિવરાજ
કોંગ્રેસે કહ્યું કે ઈમરતી દેવીનું નામ નથી લીધુ
મળતી જાણકારી મુજબ કમલનાથ દ્વારા ભાજપના પ્રત્યાશી ઈમરતી દેવીને આઈટમ કહેવા પર ભાજપે સંપૂર્ણ તાકાત સાથે હુમલો કર્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણથી માંડીને તમામ મોટા નેતાઓેએ કમલનાથના આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે .ત્યારે આ નિવેદેનને લઈને રાજ્ય ભરમાં ભાજપ મૌન વ્રત પર છે. ભોપાલમાં સીએમ શિવરાજ અને ગ્વાલિયરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીડી શર્મા મૌન વ્રત પર છે. જ્યારે કે રાજ્યમાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ 2 કલાકનું મૌન વ્રત રાખ્યું છે.
Madhya Pradesh: BJP leader Jyotiraditya Scindia and others observe a 'silent protest' in Indore, against former CM & Congress leader Kamal Nath's remarks wherein he referred to BJP leader Imarti Devi as "item". pic.twitter.com/hzP7nqCFlZ
ઉલ્લેખનીય છે કે કમલનાથની ટિપ્પણીને લઈને ભાજપ ચૂંટણી આયોગમાં ફરિયાદ નોંધાવી ચૂકી છે. ભાજપ ચૂંટણી આયોગ પાસે માંગ કરી રહી છે કે આ ટિપ્પણી બાદ કમલનાથના પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ મુકવામાં આવે. હવે કોંગ્રેસના નેતાઓની કમલનાથના આ નિવેદન પર પ્રતિ ક્રિયા આવી રહી છે. કોંગ્રેસે કહ્યું કે ઈમરતી દેવીનું નામ નથી લીધુ. ભાજપ પેટાચૂંટણીમાં નીચલી કક્ષાનું રાજકારણ કરી રહ્યું છે. જ્યારે સીએમ શિવરાજસિંહે કમલનાથના નિવેદન પર ટ્વીટ કરી રહ્યું કે કમલનાથજી ઈમરતી દેવી એ ગરીબ ખેડૂતની દીકરી છે જેમણે ગામમાં મજૂરી કરવાની શરુઆત કરી હતી અને આજે જનસેવ તરીકે રાષ્ટ્રનિર્માણમાં સહયોગ આપી રહી છે. કોંગ્રેસે મને ‘ભૂખા-નંગા’ કહ્યો અને એક મહિલા માટે ‘આઈટમ’ જેવો શબ્દ વાપરી પોતાની સામ્યવાદી વિચારસરણી છતી કરી છે.