આકાશવર્ગીયની ગુંડાગીરી અને અધિકારીઓ પર બેટ વડે હુમલા બાદ પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આપને એ પણ જણાવી દઈએ કે, આકાશવર્ગીય ઈન્દોરથી જ ધારાસભ્ય પણ છે. પરંતુ આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે, બસ નેતાજીએ આ જ કરવાનું બાકી હતું. આ દ્રશ્યોને જોતા અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે કે, ગુંડાની માફક જનતાની સામે જ અધિકારીઓને માર મારવો કેવી બહાદુરી છે.
ભાજપનાં નેતા કૈલાશ વિજયવર્ગીય (BJP MLA Akash Vijayvargiya) નાં દીકરાની ગુંડાગર્દીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઈન્દોરમાં નિગમ અધિકારીઓ સાથે મારામારી કરી રહ્યાં છે. આકાશ વર્ગીયએ અધિકારીએને માર માર્યો. આ દ્રશ્યોમાં તમે જોઈ શકશો કે, કેવી રીતે આકાશવર્ગીય અધિકારીઓ સાથે ગુંડાગીરી ભર્યું વર્તન કરી રહ્યાં છે એટલું જ નહીં દ્રશ્યોમાં અધિકારીઓને બેટથી માર મારતા પણ જોવા મળી રહ્યાં છે.
સૌથી મહત્વની બાબત તો એ છે કે, આકાશ વિજયવર્ગીયની ગુંડાગીરી અને અધિકારીઓ પર બેટ વડે હુમલા બાદ પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આપને એ પણ જણાવી દઈએ કે, આકાશ વિજયવર્ગીય ઈન્દોરથી જ ધારાસભ્ય પણ છે. પરંતુ આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે, બસ નેતાજીએ આ જ કરવાનું બાકી હતું.
આ દ્રશ્યોને જોતા અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે કે, ગુંડાની માફક જનતાની સામે જ અધિકારીઓને માર મારવો કેવી બહાદુરી છે. શું અધિકારીઓને માર મારવો એ નેતાગીરી છે? તો આવી નેતાગીરીનું અમારે કોઈ કામ નથી. પરંતુ સૌથી મહત્વનો મુદ્દો તો એ રહેશે કે, ભાજપ સરકાર પોતાના આ નેતા સામે કોઈ કડક કાર્યવાહી કરે છે કે પછી આવા નેતાઓને છૂટ્ટા ગુંડાગીરી કરવા મુકી દે છે.
#WATCH Madhya Pradesh: Akash Vijayvargiya, BJP MLA and son of senior BJP leader Kailash Vijayvargiya, thrashes a Municipal Corporation officer with a cricket bat, in Indore. The officers were in the area for an anti-encroachment drive. pic.twitter.com/AG4MfP6xu0
હકીકતમાં, આ ક્ષેત્રમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી. એવામાં જે પણ જર્જર મકાન છે અને ખૂબ જૂના ઘર છે તેને સરકાર દ્વારા ખાલી કરાવવામાં આવી રહેલ છે. જેથી કોઇ પણ પ્રકારની ઘટના ના ઘટે. આપને જણાવી દઇએ કે આ પહેલાં પણ આકાશ વિજયવર્ગીય પોતાનાં વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં રહી ચૂક્યાં છે. લોકસભા ચૂંટણી દરમ્યાન તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે તેઓએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી પહેલા તો પપ્પુ હતાં, પરંતુ હવે ગધેડાઓનાં સરતાજ બની ગયા છે. તે સમયે પણ તેમની ટિપ્પણી પર ખૂબ બબાલ થઇ હતી.
આકાશ વિજયવર્ગીય, ઇન્દોર-3 વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમ્યાન તેમની ટિકિટને લઇને પણ ખૂબ વિવાદ થયો હતો. કૈલાશ વિજયવર્ગીય હવે રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકા નિભાવી રહેલ છે અને પશ્ચિમ બંગાળનાં પ્રભારી છે. આ જ કારણ રહ્યું કે, તેઓ ખુદ વિધાનસભા ચૂંટણી નહીં લડ્યા પરંતુ તેમની જગ્યા પોતાનાં દિકરાએ નસીબ અજમાવ્યું.