ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ એક વિમાન લાપતા થયું હતું. શ્રીવિજયા એરની આ ફ્લાઇટ સંખ્યા SJ 182માં 60થી વધુ લોકો સવાર હતા. ત્યારે હવે આ વિમાન ક્રેશ થયું હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. હાલ વિમાનને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
ઇન્ડોનેશિયામાં લાપતા થયેલું વિમાન ક્રેશ થયું હોવાની આશંકા
60થી વધુ લોકો સવાર હતા
દરિયામાંથી સંદિગ્ધ કાટમાળ મળ્યો
ઇન્ડોનેશિયામાં ઉડાન ભર્યા બાદ લાપતા થયેલા વિમાનનો દરિયામાંથી સંદિગ્ધ કાટમાળ મળ્યો છે. ઇન્ડોનેશિયાના સોશિયલ મીડિયામાં વિમાનના કાટમાળના ફોટો વાયરલ થઇ રહ્યા છે. જોકે, હજુ સુધી વિમાનના ક્રેશ થવાની સત્તાવાર પુષ્ટિ નથી થઇ શકી. આ પહેલા પણ 2018માં ઇન્ડોનેશિયાની લાયન એર ફ્લાઇટ સમુદ્રમાં ક્રેશ થઇ ગઇ હતી, જેમાં 189 લોકોના મોત થયા હતા.
વિમાનના રજિસ્ટ્રેશન નંબર અનુસાર, લાપતા થયેલું વિમાન 26 વર્ષ જૂનું બોઇંગ 737-500 શ્રેણીનું છે. જેણે શનિવારે સાંજે જકાર્તાના સોકાર્નો-હટ્ટા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના 4 મીનિટ બાદ જ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.
સોશિયલ મીડિયામાં વિમાનના કાટમાળની તસવીરો વાયરલ
ઇન્ડોનેશિયાના ટીવી અને સોશિયલ મીડિયામાં વિમાનનો કાટમાળ બતાવવામાં આવી રહ્યો છે. જોકે, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની હજુ સુધી કોઇ સત્તાવાર પુષ્ટિ નથી થઇ શકી. BBCના રિપોર્ટ અનુસાર, વિમાન ગાયબ થયાની નજીકમાં એક ટાપીના લોકોએ દાવો કર્યો કે, તેમને એવી વસ્તુઓ મળી જે તેમને લાગ્યું કે, તેઓ આ ગાયબ થયેલા વિમાનનો ભાગ છે.
1 મિનિટમાં 10 હજાર ફીટ નીચે આવ્યું વિમાન
ફ્લાઇટરેડાર24(FlightRadar24)ના અનુસાર, આ વિમાન 10 હાજર ફૂટની ઉંચાઈએથી માત્ર 1 મીનિટમાં ટ્રેક કરવામાં આવ્યું છે. જ્યારબાદ કોઇ દુર્ઘટના થઇ હોવાનું સંભાવના વધી ગઇ છે. જો આટલી ઝડપથી કોઇ વિમાન નીચે આવે છે તો તેના ક્રેશ થયા હોવાની સંભાવના વધી જાય છે. ત્યારે ઇન્ડોનેશિયાની સરકારે બચાવ કામગીરી માટે રાહત ટીમોને સક્રિય કરી દીધી છે.