ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ફરી પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. તેઓએ કરંસીની સ્થિતિ સારી કરવા માટે રૂપિયાની નોટ પર ધનની દેવી લક્ષ્મીનો ફોટો છાપવાની સલાહ આપવામાં આવી છે. ઈન્ડોનેશિયાની કરંસી પર ભગવાન ગણેશ છાપ્યા હોવાને લઈને પ્રશ્ન કરાયો તો તેઓએ કહ્યું કે ધનની લક્ષ્મીનો ફોટો છાપવાથી ભારતની કરંસીની સ્થિતિમાં સુધારો આવી શકે છે. તેની પર કોઈએ ખોટું માનવાની જરૂર નથી.
ઈન્ડોનેશિયા સૌથી વધુ મુસ્લિમ આબાદી ધરાવતો દેશ
ઈન્ડોનેશિયાની કરંસી પર છે ગણેશજીનો ફોટો
ભારતની કરંસી પર દેવી લક્ષ્મીનો ફોટો છાપવાથી સુધરી શકે છે અર્થવ્યવસ્થા
આ કારણે મુસ્લિમ દેશની કરંસી પર છે ભગવાન ગણેશનો ફોટો
ઈન્ડોનેશિયા દુનિયાની સૌથી મોટી મુસ્લિમ આબાદી ધરાવતો દેશ છે અને દુનિયાનું ત્રીજું સૌથી મોટું લોકતંત્ર પણ છે. મલેશિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હજારો દ્વીપ પર ફેલાયેલા ઈન્ડોનેશિયાના મુસલમાનોની સૌથી વધારે આબાદી છે. અહીં હિંદુ ધર્મનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. અહીં ભગવાન ગણેશને કલા અને બુદ્ધિનું પ્રતીક ગણવામાં આવે છે. આ કારણે અહીંની કરંસી પર પહેલાં ભગવાન ગણેશનો ફોટો અંકિત કરાય છે.
ઈન્ડોનેશિયાની અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધારવા કરાયો આ ઉપાય
થોડા વર્ષો પહેલાં ઈન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા બગડી ત્યારે અહીંના અર્થશાસ્ત્રીઓએ વિચાર- વિમર્શની સાથે વીસ હજારની નોટ બહાર પાડી અને તેની પર ભગવાન ગણેશનો ફોટો છાપ્યો. અહીંના લોકો રામાયણને પણ મહત્વ આપે છે. આ વાતો તેમની સંસ્કૃતિનો ભાગ છે. ઈન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારતની વાતો દરેક વ્યક્તિ જાણે છે અને અહીં કૃષ્ણ અને અર્જુનની મૂર્તિઓ પણ છે.
ઈન્ડોનેશિયાના લોકો કરે છે આ કામ
અહીંના મુસલમાનો રમઝાનમાં રોજા રાખે છે અને ઈફ્તાર બાદ અહીંના હિંદુ મંદિરમાં રામાયણના પાઠમાં ભાગ લેવા જાય છે. અહીં હિંદુ- મુસ્લિમની વચ્ચે સૌહાર્દ કાયમ રહે છે. અહીંના જાવા ઈન્ડોનેશિયાનો દ્વીપ છે જ્યાં 60 ટકા લોકો હિંદુ છે.
અહીં જોવા મળશે આ ચીજો
ઈન્ડોનેશિયામાં તમને અનેક જગ્યાઓએ ભગવાન વિષ્ણુ અને શિવ મંદિર મળશે. આખા શહેરમાં સંસ્કૃતમાં લખાયેલા શબ્દ, રામાયણ અને મહાભારતનો પણ ઉલ્લેખ છે. જ્યારે વર્તમાનમાં ઈન્ડોનેશિયામાં હિંદુઓની આબાદી 2 ટકાથી ઓછી છે. ધર્મ જ નહીં ઈન્ડોનેશિયાની ભાષા પણ મળતી આવે છે. તેમને ભાષાને બહાસા ઈંદોનેસિયા કહે છે.
ઈન્ડોનેશિયામાં મનાવાય છે 6 ધર્મ
ઈન્ડોનેશિયામાં અધિકૃત રીતે 6 ધર્મનો મનવામાં આવે છે. તેમાં હિંદુ ધર્મને 1962માં જગ્યા મળી. જાવા, બાલી, લોમબોકમાં હિંદુ ધર્મમાં અનેક અનુયાયીઓ છે. હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા પરિષદ હિંદુ ધર્મ ઈન્ડોનેશિયાના અસ્તિત્વમાં છે.