ઈન્ડોનેશિયામાં શનિવારે એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા અને ભાગદોડમાં ઓછામાં ઓછા 174 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
ઇન્ડોનેશિયા ફૂટબોલ મેચમાં મોતનો આંકડો 174 પહોચ્યો
અરેમા એફસીને 2-3થી હારતી જોઈને ચાહકો મેદનમાં ઉતર્યા હતા
સ્ટેડિયમમાં ક્ષમતા કરતા 4000 વધારે દર્શકો હતા
ઈન્ડોનેશિયામાં શનિવારે એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા અને ભાગદોડમાં ઓછામાં ઓછા 174 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. તેને અત્યાર સુધીમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અકસ્માતોમાંના એક તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. મેચ હારી ગયેલી ટીમના ચાહકો ભડકી ઉઠયા હતા અને મેદાન પર આવી ગયા હતા ત્યારે હિંસા ફાટી નીકળી હતી. ઈસ્ટ જાવા પ્રાંતમાં અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો હતો. અરેમા એફસીને 2-3થી હારતી જોઈને તેના ચાહકો મેદાનમાં ઉતરવા લાગ્યા હતા.
બેકાબુ ભીડને કાબુમાં લેવા ટીયર ગેસ છોડવામાં આવ્યા
બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે ટીયર શેલ છોડવામાં આવ્યા હતા. આ અંધાધૂંધીમાં સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ઇન્ડોનેશિયાના ઇસ્ટ જાવા પ્રાંતના પોલીસ વડા નિકો આફન્ટાએ જણાવ્યું હતું કે તેમની ટીમને મેચ હારતી જોઇને કેટલાક લોકો ફૂટબોલ પીચ તરફ દોડી ગયા હતા અને તેમને રોકવાનો પ્રયાસ કરતી વખતે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. સ્ટેડિયમમાં હુમલો અને અરાજકતા ફેલાઈ હતી. સ્ટેડિયમમાં 34 લોકોના મોત થયા છે જ્યારે બાકીના લોકોના હોસ્પિટલમાં મોત થયા છે. મૃતકોમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.
#Breaking: Just in - At least 108 people confirmed dead after a football match between Arema and Persebaya in #Indonesia, after they were cornered by riot police after a clash, and got tear gassed, with no other place to run or hide and dying of oxygen shortages duo to the gas. pic.twitter.com/S9mEPJVpUg
ટીમ તપાસ માટે પહોંચી, અરેમા એફસી પર પ્રતિબંધ મૂક્યો
ઈન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશને શનિવારે મોડી રાત્રે એક નિવેદન બહાર પાડીને આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસ માટે એક ટીમને મલંગ મોકલવામાં આવી છે. "પીએસએસઆઈને કાંજુહાન સ્ટેડિયમમાં એરેમાના સમર્થકોએ જે કર્યું તેનો અફસોસ છે. અમે મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને આ ઘટનાથી પ્રભાવિત લોકોની માફી માંગીએ છીએ. પીએસએસઆઈએ આ મામલાની તપાસ માટે તાત્કાલિક એક ટીમની રચના કરી છે, જે મલંગ માટે રવાના થઈ ચૂકી છે, "તેમણે જણાવ્યું હતું.
ક્ષમતા કરતા 4000 વધુ લોકો હતા
આ ઘટનામાં 180 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ સિઝન માટે અરેમા એફસી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશના મુખ્યમંત્રી સુરક્ષા મંત્રીએ કહ્યું છે કે, સ્ટેડિયમમાં ક્ષમતા કરતા વધારે દર્શકો હતા. સ્ટેડિયમમાં ક્ષમતા કરતા લગભગ 4000 વધુ લોકો હતા. પ્રમુખ જોકો વિડોડોએ ઈન્ડોનેશિયાની ટોચની ફૂટબોલ લીગની તમામ મેચો તપાસ પુરી ન થાય ત્યાં સુધી અટકાવવાનો આદેશ આપ્યો છે.
સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો આદેશ
ઝૈનુદ્દીન અમાલીએ શનિવારે જણાવ્યું હતું કે અધિકારીઓને ફૂટબોલ મેચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, એમ મીડિયાના અહેવાલમાં જણાવાયું છે. હાલ દર્શકોને મેચના સ્થળે જવાની મંજૂરી આપવામાં આવી નથી. ઇન્ડોનેશિયન ફૂટબોલ એસોસિએશને કહ્યું કે, તેણે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. "આ ઘટનાએ ઇન્ડોનેશિયાના ફૂટબોલની છબીને દૂષિત કરી છે.'' ઇન્ડોનેશિયામાં ફૂટબોલની મેચો દરમિયાન હિંસા નવી વાત નથી, જેમાં અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા લાંબા સમયથી કટ્ટર હરીફ છે. હિંસાના ડરથી પર્સેબ્યા સુરાબાયા પર ટિકિટ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સ્ટેડિયમમાં વિશ્વભરમાં અકસ્માતો થયા છે
મુખ્ય સુરક્ષા પ્રધાન મહફૂદના એમડીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું કે 38,000ની ક્ષમતા ધરાવતા કંજુહાન સ્ટેડિયમમાં મેચની 42,000 ટિકિટોનું વેચાણ થયું હતું. રાષ્ટ્રપતિ વિડોડોએ લીગા -1 ની તમામ મેચો મુલતવી રાખ્યા પછી કહ્યું છે કે આ "રાષ્ટ્રમાં છેલ્લો ફૂટબોલ અકસ્માત" હશે.
સ્ટેડિયમમાં અકસ્માતની લાંબી યાદી બની છે
1964માં લીમામાં પેરુ અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી ઓલિમ્પિક ક્વોલિફાયરની મેચમાં થયેલી ભાગદોડ દરમિયાન કુલ 320 લોકો માર્યા ગયા હતા અને 1,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. 1989માં, શેફિલ્ડના હિલ્સબોરો સિડમમાં થયેલી ભાગદોડમાં લિવરપૂલના 97 ચાહકો માર્યા ગયા હતા.