ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યાની થોડી જ ક્ષણ બાદ શ્રીવિજયા એરલાઈન્સનું વિમાન લાપતા થઈ ગયું હતું. ઘટનામાં 12 કલાક બાદ હવે ઈન્ડોનેશિયાઈ તપાસ કર્તાઓને જકાર્તાની પાસે જાવા સાગરમાં શરીરના અંગ મળ્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં ઉડાન ભર્યા બાદ વિમાન ક્રેશ થયુ હતુ. વિમાનમાં 62 લોકો સવાર હતા. જકાર્તા પોલીસના પ્રવક્તા યુસરી યુનુસે જાણકારી આપતા કહ્યું કે આજે સવારે અમને 2 (બોર્ડી) બેગ મળી છે. એક બેગ પ્રવાસી સાથે જોડાયેલ અને બીજો પાર્ટ (શરીરના અંગ) છે.
વિમાનમાં 50 પ્રવાસીઓ ઉપરાંત ચાલક દળના 12 સભ્યો હતા
થાઈલેન્ડ દ્વીપ સમૂહમાં ઘાતુના કેટલાક ટુકડા તરતા જોવા મળ્યા છે
બચાવ કામગીરી માટે ચાર યુદ્ધોપાત સહિત લગભગ ડર્ઝન ભરના પોત તૈનાત કર્યા
વિમાનમાં 50 પ્રવાસીઓ ઉપરાંત ચાલક દળના 12 સભ્યો હતા
ઈન્ડોનેશિયાના પરિવહન મંત્રી બુદી કરયા સુમાદીના સંવાદાતાઓ સાથે વાત કરતા કહ્યું કે તપાસ અધિકારીઓએ દુર્ધટના સ્થળના શક્ય સ્થાનની ઓળખ કર્યા બાદ મોટા પાયે પ્રવાસીઓની શોધખોળ હાથ ધરી છે. તપાસ ટીમને જે બેગ મળી છે. તે લાનચાંગ દ્વીપ અને લાકી દ્વીપની વચ્ચે એસએઆર ટીમને મળી છે. એરલાઈન્સ દ્વારા જારી નિવેદન અનુસાર, વિમાને જકાર્તાથી પોન્ટિયાનક માટે ઉડાન ભરી હતી. જે ઈન્ડોનેશિયના બોર્નિયો દ્વીપ સ્થિત પશ્ચિમ કાલીમંતન પ્રાંતની રાજધાની છે. આ ઉડાનનો સમય લગભગ 90 મિનિટ હતો. વિમાનમાં 50 પ્રવાસીઓ ઉપરાંત ચાલક દળના 12 સભ્યો હતા. જે તમામ ઈન્ડોનેશિયાના નાગરિકો છે.
બચાવ અભિયાનમાં ચાર યુદ્ધોપાત સહિત લગભગ ડર્ઝન ભરના પોત તૈનાત કર્યા
પરિવહન મંત્રી બુદી કરયા સુમાદીએ જણાવ્યું કે ઉત્તરી જકાર્તામાં દ્વીપોની શ્રૃંખલા ‘થાઈલેન્ડ દ્વીપ સમૂહ’ના લાનચાંગ તથા લાકી દ્વીપના મધ્ય વિમાનની શોધ તથા બચાવ અભિયાન હેઠળ ચાર યુદ્ધોપાત સહિત લગભગ ડર્ઝન ભરના પોત તૈનાત કર્યા છે. જકાર્તાથી પોન્ટિયાનક જનારા વિમાનોની મોટા ભાગનો પ્રવાસ સમુદ્રથી ઉપર થઈને પસાર થાય છે. જો કે હજું સુધી ગુમ વિમાનના કોઈ પુરાવા નથી મળ્યા.
થાઈલેન્ડ દ્વીપ સમૂહમાં ઘાતુના કેટલાક ટુકડા તરતા જોવા મળ્યા છે
સ્થાનીક મીડિયાના જણાવ્યાનુંસાર થાઈલેન્ડ દ્વીપ સમુહમાં માછીમારોને શનિવારે બપોરે ધાતુઓના કેટલાક ટુકડા તરતા જોવા મળ્યા હોય. જેના વિશે માનવામાં આવે છે કે આ વિમાનના ભાગ હોઈ શકે છે. રાષ્ટ્રીય શોધ તથા બચાવ એજન્સીના ઉપ પ્રમુખ બામ્બાંગ સુરયો અજિએ કહ્યું કે બચાવ દળના માછીમારોના વિમાનને કથિત કાટમાળ તથા કેટલાક કપડાને એકત્રિત કર્યા છે. જેમને રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા સમિતિને સોંપવામાં આવ્યા છે. જેથી એ જાણી શકાય કે આ ટુકડા શું વિમાન સાથે સંબંધિત છે? ત્યારે બચાવ તથા શોધ અભિયાનમાં જોડાયેલા એક પોતના કમાન્ડરે જણાવ્યું કે માછીમારોના તાર તથા ધાતુના ટુકડા પાણીમાં મળ્યા છે.