ઇન્ડોનેશિયામાં આજરોજ 7.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપ બાંધા સાગરમાં આવ્યો છે. જો કે હજુ સુનામીને લઇને કોઇ ચેતવણી આપવામાં આવી નથી. આ અંગેની જાણકારી જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) દ્વારા આપવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં આવેલા 7.5ની તિવ્રતાના ભૂકંપના કારણે ઓસ્ટ્રેલિયાના કેટલાક શહેરોને ખાલી કરાવામાં આવ્યાં છે.
યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમીનની અંદર 220 કિમી નોંધવામાં આવ્યું. જો કે આ ભૂંકપના કારણે કોઇ નુકસાન કે કોઇપણ વ્યક્તિના મૃત્યુને લઇને અહેવાલ પ્રાપ્ત થયા નથી. હવાઇમાં આવેલ પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્રએ એક સમાચાર દ્વારા જણાવ્યું છે કે ભૂકંપ બાદ કોઇપણ પ્રકારની સુનામીની શક્યતા જોવા મળતી નથી.
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડીયે ઇન્ડોનેશિયાના પાપુઆમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પરંતુ આ ભૂકંપમાં પણ કોઇ વધારે નુકસાન થયા હોવાના અહેવાલ સામે આવ્યા નહોતાં. આ દેશમાં ગત વર્ષે સુલાવેસી દ્વીપ પર આવેલ 7.5ની તીવ્રતાના ભૂકંપના આંચકામાં અંદાજે 348 લોકોના મોત નિપજ્યાં હતા. ભૂકંપ એટલો બધો શક્તિશાળી હતો કે તેમાં ઘણીબધી બિલ્ડીંગ ધરાશાયી થઇ ગઇ હતી.
Reuters: No tsunami potential from 7.2 magnitude quake in Banda Sea, off Indonesia - Indonesian geophysics agency
ઇન્ડોનેશિયામાં જ કેમ તબાહી મચાવે છે ભૂકંપ અને સુનામી
ઇન્ડોનેસિયામાં સતત આવી રહેલા ભૂકંપના આંચકા તેમજ સુનામીને લઇને લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે ઇન્ડોનેશિયામાં જ કેમ ભૂકંપ અને સુનામી તબાહી મચાવી રહ્યાં છે? આ દેશમાં સૌથી વધુ કુદરતી આફતો કેમ આવે છે?
જેનું મુખ્ય કારણ છે કે આ દેશ 'રિંગ ઓફ ફાયર' પર આવેલ છે. અહીંની ધરતીની નીચે રહેલ ટેક્ટોનિક પ્લેટ્સ અંદરો-અંદર વધારે ટકરાઇ છે, જેના કારણે ભૂકંપ અને જ્વાળામુકી જેવી ઘટના ઘટતી હોય છે. ગત વર્ષે પણ અહીં ઘણી બધી વખત ભૂકંપના આંચકા આવ્યાં જેમાં વધારે લોકોનાં મોત નિપજ્યાં હતા.