ઇંડોનેશિયાના જાવા દ્વીપમાં પર્યટકોની એક બસ ખીણમાં પડતાં તેમાં સવાર 27 લોકો મૃત્યુ થયા છે. જ્યારે 35 અન્ય ઘાયલ થયા છે. પોલીસ અને રેસ્ક્યૂ ટીમે આ જાણકારી આપી છે.
ઇંડોનેશિયામાં તીર્થયાત્રીઓ ભરેલી બસ ખીણ ખાબકી
બસ ૨૦ મીટર ઊંડી ખીણમાં પડી
વિદ્યાર્થીઓ અને વાલીઓનાં મોત
સ્થાનિક પોલીસ પ્રમુખ એકો પ્રાસેત્યો રોબ્બિયાંતોએ જણાવ્યું કે આ બસ પશ્વિમ જાવાના સુબાંગ શહેરથી ઇસ્લામી માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બુધવારે પ્રાંતના તાસિકામલય જિલ્લામાં એક તીર્થસ્થળ પર લઇ જઇ રહી હતી ત્યારે આ ઘટના ઘટી. તેમણે જણાવ્યું કે સુમેદાંગ જિલ્લાના કેટલાય ઢોળાવવાળા આ વિસ્તારમાં ચાલક બસને નિયંત્રિત ન કરી શક્યાે અને બસ 20 મીટર ઊંડી ખીણમાં પડી ગઇ.
રોબ્બિયાંતોએ જણાવ્યું કે પોલીસ ઘટનાનાં કારણોની તપાસ કરી રહી છે, પરંતુ આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકોનું કહેવું છે કે વાહનની બ્રેક ખરાબ થઇ ગઇ હતી. બાંદુંગ રેસ્ક્યૂ એજન્સીના પ્રમુખ દેદેન રિદવાંસાહે જણાવ્યું કે 27 મૃતકોની લાશ અને 35 ઘાયલને એક હોસ્પિટલ અને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઇ જવાયા છે.
13 ઘાયલની હાલત ગંભીર છે. મૃતકોમાં બસચાલક પણ સામેલ છે. ઇંડોનેશિયામાં સુરક્ષાના ખરાબ માપદંડ અને બુનિયાદી ઢાંચાના અભાવે માર્ગ અકસ્માત સર્જાતા રહે છે. સુમાત્રા દ્વીપમાં ડિસેમ્બર-૨૦૧૯માં એક યાત્રી બસ 80 મીટર ઊંડી ખીણમાં પડતાં ૩૫ લોકો મૃત્યુ પામ્યા હતા.