લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે સરહદ વિવાદ વકર્યો છે. તો આ તરફ ભારતીયોમાં પણ ચીની વસ્તુનો ઉપયોગ નહીં કરવા અંગે લોક જુવાળ જોવા મળ્યો છે. ત્યારે આ ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા જોવા મળી રહી છે.
ભારત-ચીન તણાવની અસર વિશ્વપ્રસિદ્વ પટોળા પર જણાઇ
અવળચંડાઇને લઇ લોકોમાં ચીન સામે રોષ
ગુજરાતની શાન પટોળામાંથી પણ ચીનની બાદબાકી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની શાન પટોળામાંથી પણ ચીનની બાદબાકી કરી દેવાઈ છે. હવે પટોળામાં ચાઈનીઝ સિલ્ક નહીં જોવા મળે. પટોળામાંથી ચાઈનીઝ સિલ્કનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લેવાયો છે. ચાઈનીઝ સિલ્કના સ્થાને પટોળામાં હવે મૈસૂરા મલબેરી સિલ્કનો ઉપયોગ કરાશે.
પટોળામાં ચાઇનીઝ સિલ્કનો ઉપયોગ નહીં થાય
આપને જણાવી દઇએ કે, પટોળામાં ઉપયોગમાં લેવાતી ચાઇનીઝ સિલ્કનો ઉપયોગ નહીં કરવાનું પટોળા બનાવનારો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આમ કરવાથી ચીનથી આયાત બંધ થશે અને ચીનને વધુ એક ફટકો પડશે.