મહારાષ્ટ્રના મંત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા જીતેન્દ્ર આવ્હાડએ ઇંદિરા ગાંધી પર નિશાન સાધ્યું છે. આ સાથે NCP ના નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પણ આકરા પ્રહાર કર્યાં.
NCP નેતા જીતેન્દ્ર આવ્હાડનું ઇંદિરા ગાંધી પર સાધ્યું નિશાન
ઇંદિરા ગાંધીએ લોકશાહીનું ગળુ દબાવાનો પ્રયત્ન કર્યો હતો
પીએમ મોદી અને અમિત શાહ પર પણ આકરા પ્રહાર કર્યાં
NCP નેતા એ જણાવ્યું કે ઇંદિરા ગાંધીએ પણ લોકશાહીનું ગળુ દબાવાનો પ્રયત્ન કર્યો હતો. જેના કારણે જેપી આંદોલન થયું હતું.
બીડમાં આયોજિત બંધારણીય સંરક્ષણ મહાસભામાં બોલતા આવ્હાડે કહ્યું કે ઇંદિરા ગાંધીએ પણ લોકશાહીનું ગળુ દબાવી દીધું હતું. કોઇપણ તેમના વિરુદ્ધ બોલવા તૈયાર નહોતું. ત્યારબાદ અમદાવાદ અને પટનામાં પ્રદર્શન કરાયું અને જેપી આંદોલનની શરૂઆત થઇ. જેના કારણે ઇંદિરા ગાંધીની હાર થઇ. ઇતિહાસ પોતાને મહારાષ્ટ્ર અને દેશમાં પુનરાવર્તન કરશે.
આ કાર્યક્રમમાં બીજી કોલ પાટિલ, તીસ્તા સીતલવાડ, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના અબૂ તાલિબ રહમાની અને JNU ની વિદ્યાર્થિની દીપશિખા ઉપસ્થિત હતી. NCP નેતાએ દેશમાં હિટલરશાહીની વર્તમાન પરિસ્થિતિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની નિંદા કરી. ઈન્દિરા ગાંધીનો સંદર્ભ આપતાં અવ્હાડેએ કહ્યું કે બીજું વિદ્યાર્થી આંદોલન ઉભરી આવશે જે દેશને બીજી આઝાદી આપશે.