ઈન્ડિગોએ શુક્રવારે એવી યોજના શરુ કરી છે જે અંતર્ગત જે લોકો કોરોના વાયરસની વચ્ચે સુરક્ષાને સુનિશ્ચિત કરવા માંગે છે તે એક મુસાફર માટે 2 સીટ બુક કરાવી શકે છે.
24 જુલાઈથી શરુ થઈ રહી છે યોજના
સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે 2 સીટનો વિકલ્પ મુક્યો છે
ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને મોટી ચિંતા ગણાવી હતી
24 જુલાઈથી શરુ થઈ રહી છે યોજના
આ અંતર્ગત એરલાઈન્સ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વધારાની સીટ માટે મૂળ કિંમતના 25 ટકા આપવા પડશે. આ યોજના 24 જુલાઈ 2020થી લોગુ પકડશે. ઈન્ડિગોએ કહ્યું કે 6 ઈ ડબલ સીટ યોજના યાત્રા પોર્ટલ, ઈન્ડિગો કોલ સેન્ટર અથવા હવાઈ અડ્ડાના કાઉન્ટર પર ઉપલબ્ધ નહીં હોય.
આનો લાભ કેવી રીતે લેશો
આનો ફાયદો માત્ર ઇન્ડિગોની વેબસાઈટ પરથી લઈ શકાય છે. હકિક્તમાં ઈન્ડિગોએ 20 જૂનથી 28 જૂનની વચ્ચે 25000 પ્રવાસીઓની વચ્ચે એક ઓનલાઈન સર્વેક્ષણ કર્યુ હતુ. જેમાં પ્રવાસીઓ શારીરિક અંતરના અછતને મોટી ચિંતાનો વિષય ગણાવ્યો છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ છે કે 62 ટકા લોકોઓ સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને મોટી ચિંતા ગણાવી હતી.
ઈન્ડિગોના મુખ્ય રણનીતિકાર અને આવક અધિકારી સંજય કુમારે શુક્રવારે કહ્યું કે આ સમયે હવાઈ યાત્રા સૌથી સલામત રીત છે. પરંતુ અમે ગ્રાહકોની સુરક્ષાાની ભાવનાત્મક જરુરીયાતને સમજીએ છીએ. તેમણે કહ્યું કે અમેને એવા પ્રકારની અરજીઓ મળી રહી છે અને આ ઉપરાંત તેમની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે 2 સીટનો વિકલ્પ મુક્યો છે. જેનો અમને આનંદ છે.