પાકિસ્તાનના કરાચીમાં ઈંડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામા આવ્યું હતું. જે બાદ અન્ય એક ફ્લાઈટમાં મુસાફરોને હૈદરાબાદ લાવવામાં આવશે.
ઈંડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ
કરાચીમાં કરાયું ઈમરજન્સી લેન્ડીંગ
તમામ મુસાફરોને બીજી ફ્લાઈટમાં હૈદરાબાદ લવાશે
પાકિસ્તાનના કરાચીમાં ઈંડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામા આવ્યું હતું. કહેવાય છે કે, ફ્લાઈટ શારજાહથી હૈદરાબાદ આવી રહી હતી. પ્રાથમિક જાણકારી અનુસાર જોઈએ તો, ટેકનિકલ ખામીના કારણે લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ખરાબીની સૂચના મળ્યા બાદ ક્રૂ મેમ્બર્સે વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવાનો નિર્ણય લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તે, મુસાફરોને અન્ય એક ફ્લાઈટ દ્વારા હૈદરાબાદ લાવવામાં આવશે. કહેવાય છે કે, અઠવાડીયામાં આ બીજી ફ્લાઈટ છે, જેનું કરાચીમાં લેન્ડીંગ કરાવામાં આવ્યું હોય.
Indian flight IndiGo's Sharjah-Hyderabad flight diverted to Pak's Karachi airport after glitch
ઈંડિગો એરલાઈન્સ તરફથી કહેવાયુ છે કે, શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટના પાયલટે વિમાનમાં ટેકેનિકલ ખામીની જાણકારી આપી હતી. ત્યાર બાદ વિમાનને કરાચી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. હાલમાં મુસાફરોને હૈદરાબાદ લાવવા માટે કરાચીથી એક વધુ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, 5 જૂલાઈના રોજ પણ સ્પાઈસજેટના વિમાનમાં ખરાબી આવતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. સ્પાઈસ જેટનું આ વિમાન દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું. ખરાબ આવ્યા બાદ ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામં આવ્યું હતું. ત્યાર બાદ સ્પાઈસ જેટની બીજી ફ્લાઈટ દ્વારા મુસાફરોને દુબઈ લઈ જવામાં આવ્યા હતા.