ઈન્ડિગોની બે ડોમેસ્ટિક ફ્લાઈટ હવામાં અથડાતા-અથડાતા રહી ગઈ. હવે આ મામલાની તપાસ ડીજીસીએ કરશે. ગંભીર સુરક્ષા ઉલ્લંઘનવાળી આ ઘટના અંગે જાણકારી દેશના ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએને આપવામાં આવી હતી અને મહાનિર્દેશક અરૂણ કુમારના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી છે.
એક ભૂલના કારણે બે વિમાન હવામાં અથડાતા-અથડાતા રહી ગયા
મહાનિર્દેશક અરૂણ કુમારે કહ્યું, અમારી તપાસ ચાલુ છે
દોષિત ઠરનારા લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
અધિકારીઓ વચ્ચે વાતચીતનો અભાવ
અરૂણ કુમારે એએનઆઈને કહ્યું, અમે તપાસ કરી રહ્યાં છે અને દોષિત ઠરનારા લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઈન્ડિગો એરલાઈન્સે આ ઘટના પર કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે. અધિકારીઓ મુજબ, ઈન્ડિગોની બે ફ્લાઈટ બેંગલુરૂથી કોલકત્તા અને ભુવનેશ્વરની ફ્લાઈટ હવામાં અથડાતા-અથડાતા બચી ગઈ હતી. આ ઘટનામાં રડાર ઓપરેટર્સ અને એટીસી અધિકારીઓની વચ્ચે વાતચીતનો અભાવ અને બેદરકારી સામે આવી હતી. કારણકે બે ફ્લાઈટ એક જ હવાઈ માર્ગ પર સંચાલિત ના થઇ શકે. ડીજીસીએ અધિકારીઓએ ન્યુઝ એજન્સી ANIને જણાવ્યું, 7 જાન્યુઆરી 2022ના રોજ બે ઈન્ડિગો ફ્લાઈટ 6E 455 (બેંગલોર-કોલકત્તા) અને 6E 246 (બેંગલોર-ભુવનેશ્વર) બેંગલોર એરપોર્ટ પર બ્રીચ ઑફ સેપરેશનમાં સામેલ હતી.
યોગ્ય સંકલન ના હોવાને કારણે આવુ બન્યું
અધિકારીઓએ જણાવ્યું, બંને રનવે ઉપયોગમાં હતા. શિફ્ટ પર હાજર રહેલ અધિકારીએ એક રનવે-નોર્થ રનવેનું આગમન અને પ્રસ્થાન માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો. સાઉથ રનવેને બંધ રાખવામાં આવશે. પરંતુ તેની જાણકારી સાઉથ ટાવર કંટ્રોલરને આપવામાં ના આવી. એવામાં સાઉથ ટાવર કંટ્રોલરમાં કોલકત્તા જનારી ફ્લાઈટ 6E 455ને પ્રસ્થાનની મંજૂરી આપવામાં આવી હતી. એ જ સમયે નોર્થ ટાવર કંટ્રોલરે સંકલન વગર ભુવનેશ્વર જતી ફ્લાઈટ 6E 246ને પ્રસ્થાનની મંજૂરી આપવામાં આવી. પ્રાથમિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, રડાર નિયંત્રકો અને એટીસી અધિકારીઓની વચ્ચે સંવાદના અભાવના કારણે આ ઘટના થઈ.