કોરોના વાયરસના વધતા સંક્રમણ અને ત્રીજીની દસ્તકે પોતાની અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે. કોવિડ-19 અને ઓમિક્રોન (Covid-19 / Omicron)ના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે લોકો ફરી એકવાર ટૅન્શનમાં મુકાઈ ગયા છે. આ ક્રમમાં હવે એવિએશન સેક્ટરમાં પણ કડકાઈ જોવા મળી રહી છે.
કોરોનાએ વધાર્યું ટૅન્શન
ઈન્ડિગોએ કેટલાક રૂટ પર ઘટાડ્યું પરિવહન
અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ ચાલશે ફ્લાઈટ
ઈન્ડિગો એરલાઈન્સે ઘણા રૂટ પર ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ઈન્ડિગોએ કોરોનાના વધતા સંક્રમણને જોતા પશ્ચિમ બંગાળથી નવી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કર્યો છે. આગામી ત્રણ મહિના સુધી આ રૂટ પર તેમની દૈનિક ફ્લાઇટ્સ મર્યાદિત કરવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેની સાથે હવાઈ ભાડું પણ વધી શકે છે.
ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, સરકારી ગાઈડલાઈન્સને જોતા ફ્લાટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ સરાકે કોવિડ-19ના વધતા કેસોને જોતા નવી દિલ્હી, મુંબઈ માટે રાજ્યથી અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ ફ્લાઈટના પરિવહનની મંજૂરી આપી છે.
ઈન્ડિગોએ માહિતી આપી હતી
ઈન્ડિગો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે ફ્લાઈટ્સ પશ્ચિમ બંગાળના કોલકાતા, દુર્ગાપુર અને બાગડોગરાથી દિલ્હી અને મુંબઈ માટે અઠવાડિયામાં માત્ર બે દિવસ સોમવાર અને શુક્રવારે ઉડાન ભરશે. ઇન્ડિગોએ આગામી ત્રણ મહિના માટે તેની ફ્લાઇટ્સ મર્યાદિત કરી છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલી તો પડશે જ, સાથે જ આ રૂટ પર ફ્લાઇટની સંખ્યા ઘટવાને કારણે ભવિષ્યમાં હવાઇ ભાડામાં વધારો થવાની સંભાવના છે.
મુસાફરો રિફંડનો દાવો કરી શકશે
ઈન્ડિગોએ આ એલાન સાથે જાણકારી આપી છે કે કંપની અસરગ્રસ્ત મુસાફરોને ફ્લાઈટ્સ કેન્સલ થવા અંગે જાણકારી આપી રહી છે. જે મુસાફરોએ ટિકિટ બુક કરાવી છે અને તેમની ફ્લાઈટ કેન્સલ થઈ છે તેઓ ઈન્ડિગોની વેબસાઈટ પર જઈને રિફંડનો દાવો કરી શકે છે અથવા તેમની ઈચ્છા મુજબ બીજી ફ્લાઈટ પસંદ કરી શકે છે. આ માટે મુસાફરોએ ઈન્ડિગોની વેબસાઈટ www.goindigo.in પર જઈને 'પ્લાન B' પર ક્લિક કરવાનું રહેશે.