એક સારો સંકેત આપતા ગ્લોબલ રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2021-22 માં દેશની અર્થવ્યવસ્થા 11 ટકાથી વિકાસ દરથી વિકસીત થશે.
ક્રિસિલનું આ અનુમાન ભારત સરકારના અનુમાન સાથે મેળ ખાય છે
2021-22 માં વાસ્તવિક જીડીપી ગ્રોથ રેટ 11 ટકા રહેવાની ધારણા
નોર્મલ જીડીપી 15.4 ટકા રહેવાનું અનુમાન અપાયું હતું.
ક્રિસિલનું આ અનુમાન ભારત સરકારના અનુમાન સાથે મેળ ખાય છે. આર્થિક સર્વેક્ષણમાં 2021-22 માં વાસ્તવિક જીડીપી ગ્રોથ રેટ 11 ટકા રહેવાની ધારણા કરાઈ હતી તો નોર્મલ જીડીપી 15.4 ટકા રહેવાનું અનુમાન અપાયું હતું.
ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં 8 ટકા ઘટાડો થશે
ક્રિસિલે કહ્યું કે ભારત અર્થવ્યવસ્થાની વિકાસ દરમાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 8 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. આગામી નાણાકીય વર્ષ દરમિયાન ભારતના જીડીપીમાં જોરદાર ઉછાળાના મુખ્ય ચાર કારણો રહેશે. રેટિંગ એજન્સીના જણાવ્યાનુસાર ભારતના લોકોએ હવે કોરોના વાઈરસ મહામારીની સાથે જીવવાનું શીખી લીધું છે.
ગ્લોબલ રેટિંગ એજન્સી ચીફ ઈકોનોમિસ્ટ ડીજી જોશીએ કહ્યું કે 2021-22 ની બીજા છમાસિક સમયગાળામાં ભારતીય જીડીપી સારો દેખાવ કરશે. દેશની અર્થવ્યવસ્થા કોરોના કાળ પહેલાના સ્તરે પહોંચી જશે અને તેમાં નાણાકીય વર્ષ 2019-20 ના મુકાબલે 2 ટકાની વૃદ્ધિ દેખાશે. ભારતીય અર્થવ્યવસ્થા 2023 થી 2025 ની વચ્ચે સરેરાશ 6.3 ટકાનો વિકાસ દર હાંસલ કરશે. જોશીએ કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં 11 ટકાની વૃદ્ધિ પછી પણ અર્થવ્યવસ્થાને કુલ જીડીપીના 11 ટકા જેટલું નુકશાન થશે.
રાષ્ટ્રીય સાંખ્યિકી મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા અનુસાર, ડિસેમ્બરના ત્રીજા ત્રીમાસિકનો કુલ જીડીપી 36.22 લાખ કરોડ રહ્યો. વર્ષ 2019-20 ના ત્રીજા ત્રીમાસિકમાં આ 36.08 લાખ કરોડ હતો.
ચાલુ વર્ષે કુલ જીડીપી 134.09 લાખ કરોડ રુપિયા રહી શકે છે. વર્ષ 2019-20 માં ભારતીય ઈકોનોમીમાં 4 ટકાનો વધારો થયો હતો.
આઈસીઆઈસીઆઈ સિક્યુરીટી દ્વારા 1722 કંપનીઓના ત્રિમાસીક રિઝલ્ટના ડેટાને આધારે કરાયેલા એક વિશ્લેષણને આધારે ઈકોનોમીમાં ઝડપી સુધારો થઈ રહ્યાંનું સામે આવી રહ્યું છે. ઘણી એજન્સીઓ અને સંસ્થાઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે ત્રીજા ત્રીમાસિકમાં ઈકોનોમી પોઝિટીવ ઝોનમાં આવી જશે.