ભારતીય સેના અને ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુરમાં જેનું સફળ પરીક્ષણ કર્યું તે પૃથ્વી-2 મિસાઇલ મૃત્યુ અને વિનાશનું બીજું નામ
મૃત્યુ અને વિનાશનું બીજું નામ પૃથ્વી-2 મિસાઇલ
પૃથ્વી-2 મિસાઇલ સિંગલ સ્ટેજ લિક્વિડ ફ્યુઅલ મિસાઇલ
મહત્તમ 500 કિલો વજનનું હથિયાર લઈ જઈ શકે પૃથ્વી-2 મિસાઇલ
પાકિસ્તાન અને ચીન બંને દેશોને પહોંચી વળે એવું ભારતનું હથિયાર એટલે પૃથ્વી-2 મિસાઇલ. આજે આપણે જાણીશું ભારતીય સેના અને ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુરમાં જેનું સફળ પરીક્ષણ કર્યું તે પૃથ્વી-2 મિસાઇલ વિશે. પૃથ્વી-2 મિસાઇલ સિંગલ સ્ટેજ લિક્વિડ ફ્યુઅલ મિસાઇલ છે. જે મહત્તમ 500 કિલો વજનનું હથિયાર લઈ જઈ શકે છે. તે ઉચ્ચ સ્તરીય વિસ્ફોટકો, વેધન, ક્લસ્ટર બોમ્બ, વિઘટન, ગરમી ઉત્પન્ન કરવા, રાસાયણિક અને વ્યૂહાત્મક પરમાણુ હથિયારો સાથે ફીટ કરી શકાય છે. એટલે કે પૃથ્વી-2 મિસાઈલ કોઈપણ હથિયાર લગાવીને છોડી દો, દુશ્મનની જમીન હચમચી જશે.
ત્રણેય સેના માટે બનાવાઇ છે મિસાઇલ
આ મિસાઈલને 1983માં શરૂ કરાયેલ ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત લોન્ચ કરવામાં આવી હતી. આ મિસાઈલ પ્રોજેક્ટ ડેવિલ હેઠળ ત્રણ મિસાઈલ બનાવવાની હતી. ભારતીય સેના માટે પૃથ્વી-1 કે જેમાં રેન્જ 150 કિમી અને 1000 કિલો વજનના હથિયારો લગાવી શકાય છે. તો ભારતીય વાયુસેના માટે પૃથ્વી-2 કે જેની રેન્જ 350 કિમી હતી, જેમાં 500 કિલો વજનના હથિયારો લગાવી શકાય છે. આ સાથે ભારતીય નૌકાદળ માટે પૃથ્વી-3. 1000 KG વજનના હથિયાર વહન કરતી આ મિસાઈલની રેન્જ 350 KM છે.
જાણો શું છે પૃથ્વી-2 મિસાઇલની વિશેષતા ?
સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ પૃથ્વી-2 મિસાઈલનું સંચાલન કરે છે. આ મિસાઈલનું વજન 4600 કિલોગ્રામ છે. તેની લંબાઈ 8.56 મીટર છે. જ્યારે, વ્યાસ 110 સે.મી. પૃથ્વી-2ની ચોક્કસ સ્ટ્રાઈક રેન્જ 250 થી 350 કિલોમીટર છે. એટલે કે, જો દુશ્મન તેના સ્થાનથી 10 મીટર દૂર ખસી જાય તો પણ મૃત્યુ ટાળી શકાય નહીં.
પૃથ્વી-2 મિસાઇલ લોન્ચ કેવી રીતે કરાય છે ?
પૃથ્વી-2 મિસાઇલને લોન્ચ કરવા માટે 8x8 ટાટા ટ્રાન્સપોર્ટર એરેક્ટરને મોબાઈલ લોન્ચરથી ફાયર કરવામાં આવે છે. તેનું પ્રથમ પરીક્ષણ 1996માં કરવામાં આવ્યું હતું. તેની સૌથી મહત્વની વાત એ છે કે, તે કોઈપણ એન્ટી બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમને છેતરી શકે છે. અત્યાર સુધીમાં આ મિસાઈલનું લગભગ બે ડઝન સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. એટલે કે, આ મિસાઈલ કોઈપણ સમયે દુશ્મનને નષ્ટ કરવા માટે તૈયાર છે.