કેન્દ્ર સરકારે કોરોનાની રસીકરણ અંગે જાહેરાત કરી હતી કે, વર્ષ 2021ના અંત સુધીમાં દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને રસી આપવામા આવશે.
ભારતમાં વેક્સિનનો વધતો સ્ટોક ચિંતાનું કારણ
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રસીકરણની ગતિ ઝડપી હતી
ઓક્ટોબરમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.
રાજ્યોમાં વધતા રસીના સ્ટોકે પણ ચિંતા વધારી છે.
કેન્દ્ર સરકારે કોરોનાની રસીકરણ અંગે જાહેરાત કરી હતી. વર્ષ 2021ના અંત સુધીમાં દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને રસી આપવામા આવશે.ત્યારે હવે ડિસેમ્બર મહિનો નજીક આવી રહ્યો છે.સરકારે દ્વારા કોવિડ-19 સામે રસીકરણ અંગે જાહેર કરાયેલા સમયગાળો પૂરો થવામાં થોડો સમય બાકી છે. ત્યા સુધી રસીકરણના મામલામાં 80 ટકા વસ્તીએ પ્રથમ ડોઝ મેળવ્યો છે. જ્યારે બીજો ડોઝના કિસ્સામાં આ સંખ્યા 40 ટકા છે. આ આંકડાઓ કાગળ પર વધુ સારા દેખાઈ શકે છે, પરંતુ રાજ્યોમાં વધતા રસીના સ્ટોકે પણ ચિંતા વધારી
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રસીકરણની ગતિ વધારે હતી
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશ 16મી જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવી હતી. અને 1લી મેથી 18+ વય જૂથ માટે રસીકરણ શરૂ થયું હતું. શુક્રવારે, રસીકરણ અભિયાનના 301 દિવસ પૂર્ણ થયા છે, અને તેની સાથે સમગ્ર દેશમાં 111 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મહત્વનુ છે કે,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મહિનાએ રસીકરણની ગતિ વધારે હતી,પરંતુ ઓક્ટોબરમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.પરંતુ જૂન માસમાં રસીકરણ અભિયાનમાં પુનઃ વેગવતું બની ગયું હતું. જૂનમાં રસીના 12 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતાં જ્યારે જુલાઈમાં આ આંકડો 13.45 કરોડ પર પહોંચી ગયો હતો. ઓગસ્ટમાં ડોઝની સંખ્યા 18.38 કરોડ સપ્ટેમ્બરમાં 23.60 કરોડ ઓક્ટોબરમાં 17.29 કરોડ હતી.ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દેશમાં કુલ રસીકરણના 40 ટકા નોંધાયા હતા.
તહેવારોની સિઝનના મધ્યમાં રસીકરણને અસર થઈ
ઉલ્લેખનીય છે કે, તહેવારોની સિઝનના મધ્યમાં રસીકરણને અસર થઈ છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં બિન ઉપયોગી રસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સરકારે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 121 કરોડ ડોઝ પૂરા પાડ્યા છે. શુક્રવારે ન વપરાયેલ ડોઝની સંખ્યા 18.04 કરોડ હતી. જ્યારે 1 લી નવેમ્બરના રોજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13 કરોડથી વધુ રસીઓ બાકી હતી. 15 ઓક્ટોબરે આ આંકડો માત્ર 10.53 કરોડ હતો જ્યારે 1 ઓક્ટોબરના રોજ વણ વપરાયેલ ડોઝની સંખ્યા માત્ર 5 કરોડ હતી. મહત્વનું છે કે,તાજેતરમાં વડાપ્રધાને નરેન્દ્ર મોદી ઘીમી રસીકરણ મામલે ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને મેઘાલયના 40 જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરી.
યુરોપ અને મધ્ય એશિયા દેશોમાં લોકો કોવિડના નવા ખતરાનો સામનો કરી રહ્યા છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, યુરોપ અને મધ્ય એશિયામાં ફરી એકવાર કોવિડ-19ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. યુરોપ અને મધ્ય એશિયાના દરેક દેશ કોવિડના નવા ખતરાનો સામનો કરી રહ્યા છે, WHOએ આનું કારણ અપૂરતી રસીકરણ અને લોકોમાં રસી મુકવવા માટે નીરસતા છે. જો કે, ભારતમાં હજુ સુધી કેસોમાં કોઈ વધારો થયો નથી, પરંતુ અન્ય બે સ્થિતિ યથાવત છે.