UKથી ભારત આવનારા લોકો પર કડક નિયમો લાગૂ કરવાના કેન્દ્રના નિર્ણય પર બ્રિટિશ હાઈ કમિશને પ્રતિક્રિયા આપી.
કોવિન સર્ટિફિકેટ્સને માન્યતા ન આપનારા મુદ્દા પર ભારત સરકારે કડક વલણ અપનાવ્યું
અમે ઈચ્છીએ છીએ કે પ્રવાસ બની શકે તેટલો સરળ હોય- બ્રિટન
યુકેએ ગત અઠવાડિયે કોવિશીલ્ડને માન્યતા આપી પરંતુ કોવિન સર્ટિફિકેટને નહીં
યુનાઈટેડ કિંગડમ (UK)થી ભારત આવનારા લોકો પર કડક નિયમો લાગૂ કરવાના કેન્દ્રના નિર્ણય પર બ્રિટિશ હાઈ કમિશને નિવેદન આપ્યું છે. હાઈ કમિશને કહ્યું કે અમે લોકો ઈચ્છીએ છીએ કે પ્રવાસ બની શકે તેટલો સરળ હોય. બ્રિટન પ્રવાસ માટે ખોલવામાં આવ્યું છે અને 2021માં અત્યાર સુધી 62500 લોકોને વીઝા આપવામાં આવી ચૂક્યા છે.
અમે ભારત સાથે સતત ટેક્નીક સહયોગ પર વાતચીત કરી રહ્યા છીએ.
આયોગે કહ્યું યૂકે આ પોલિસીના વિસ્તાર માટે ચરણબધ્ધ રીતે દુનિયાભરની સરકારોની સાથે મળીને કામ કરી રહી છે. અમે લોકો ભારત સરકારની સાથે સતત ટેક્નીક સહયોગ પર વાતચીત કરી રહ્યા છીએ. જેમાં ભારતમાં રસીકરણ કરાવનારા લોકોને સર્ટિફિકેટ યૂકેમાં માન્ય થાય.
કોવિન સર્ટિફિકેટ્સને માન્યતા ન આપનારા મુદ્દા પર ભારત સરકારે કડક વલણ અપનાવ્યું
હકિકતમાં બ્રિટન દ્વારા કોવિન સર્ટિફિકેટ્સને માન્યતા ન આપનારા મુદ્દા પર ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. હવે બ્રિટનથી ભારત આવનારને એવાજ નિયમોમાંથી પસાર થવું પડશે જેવા યુકે માટે છે. સૂત્રોના જણાવ્યાનુસાર દેશમાં નવા નિયમ 4 ઓક્ટોબરથી અમલમાં આવશે. બ્રિટન પણ પોતાના નિયમોને 4 ઓક્ટોબરથી લાગૂ કર રહ્યું છે. સૂત્રોથી સમાચાર મળ્યા છે કે નવા નિયમો મુજબ ભારત આવનારા 72 કલાક પહેલા આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. એરપોર્ટ પર આગમન પર કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આગમનના આઠમાં દિવસે RT PCR ટેસ્ટ કરાવવો પડશે. ભારતમાં આગમનથી 10 દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું ફરજિયાત છે.
ગત અઠવાડિયે કોવિશીલ્ડને માન્યતા આપી પરંતુ કોવિન સર્ટિફિકેટને નહીં
ગત અઠવાડિયે ભારત તરફથી સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ બ્રિટને ટ્રાવેલ એડવાઈઝરીમાં ફેરફાર કરતા કોવિશીલ્ડને સ્વીકાર કરવામાં આવેલી રસીની યાદીમાં શામેલ કરી લીધી હતી. જો કે ભારતીય યાત્રીયો માટે બ્રિટેન પ્રવાસ પર અડચણ સંપૂર્ણ રીતે ખતમ નથી થઈ. પ્રવાસીઓેને બ્રિટન પહોંચ્યા બાદ કોવિડની તપાસ કરાવવી પડશે અને ક્વોરેન્ટાઈન નિયમોનું પાલન કરવાનું રહેશે. કેમ કે અત્યાર સુધી દેશના CoWIN પ્રમાણ પત્રને મંજૂરી નથી આપી. આ મામલાને લઈને બન્ને દેશોની વચ્ચે વાતચીત ચાલી રહી હતી. ભારતે આને ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી છે.