કોરોનામાં ભારતે ગરીબોને આપેલા સહયોગની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. વર્લ્ડ બેન્કે કોરોના વખતે ભારતે કરેલા કામની પ્રશંસા કરી છે.
વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે કર્યાં ભારતના વખાણ
ભારતે કોરોનામાં 85 ટકા ગ્રામીઓને ભોજન કે રોકડની મદદ આપી
ભારતની ગરીબોને સહાયતા કરવી અભુતપૂર્વ ઘટના
ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરની બીજા દેશોને આપી સલાહ
કોરોના મહામારી વખતે ભારતે ગરીબોને અનેક પ્રકારની સહાયતા આપીને તેમને ટકાવી રાખ્યાં હતા જોકે આ દરમિયાન ઓક્સિજનના અભાવે ઘણા લોકોના મોત પણ થયા હતા તે વાત પણ સાચી છે પરંતુ હવે ભારતના આ પ્રયાસની ઈન્ટરનેશનલ સ્તરે નોંધ લેવાઈ છે.
બીજો દેશો ભારતની ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ અપનાવે- વર્લ્ડ બેન્ક
વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે કહ્યું કે કોવિડ -19 રોગચાળા દરમિયાન ભારતની ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવી અત્યંત અનોખી છે. અન્ય દેશોએ પણ ભારત જેવી વ્યાપક સબસિડી આપવાને બદલે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરનો વિકલ્પ અપનાવવો જોઈએ. વિશ્વ બેંક વતી બુધવારે 'પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી' રિપોર્ટ જાહેર કરતા માલપાસે જણાવ્યું હતું કે, ગરીબી ઘટાડાના વૈશ્વિક પ્રગતિના સમયગાળાના અંત આવ્યો છે.
ભારતે સરકારે કર્યું અભૂતપૂર્વ કામ
વર્લ્ડ બેન્કના પ્રમુખ માલપાસે કહ્યું કે ભારતે ડિઝિટલ કેસ ટ્રાન્સફર દ્વારા 85 ટકા ગ્રામીણ પરિવારોને ભોજન કે રોકડ આપીને ઉલ્લેખનીય મદદ કરી હતી. ભારતે આ સુવિધા 69 ટકા આર્થિક રીતે નબળા શહેરી વર્ગોને આપી હતી.
ગરીબ લોકોને ભારે કિંમત ચૂકવવી પડી
વર્લ્ડ બેન્કના પ્રમુખે કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં એક અબજથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. સૌથી ગરીબ દેશોની આવકને પણ મજબૂત આધાર મળ્યો. પરંતુ વૈશ્વિક મહામારી કોવિડ-19ને કારણે સૌથી ગરીબ લોકોને સૌથી વધુ કિંમત ચૂકવવી પડી હતી.
સજ્જતામાં સુધારાની જરુર
માલ્પાસે જણાવ્યું હતું કે બ્રાઝિલ આર્થિક સંકોચન છતાં 2020 માં ગરીબી ઘટાડવામાં સફળ રહ્યું હતું. બ્રાઝિલે આ માટે મુખ્યત્વે પરિવાર આધારિત ડિજિટલ કેશ ટ્રાન્સફર સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. કોરોના રોગચાળાએ રેખાંકિત કર્યું છે કે કેવી રીતે દાયકાઓથી પ્રાપ્ત પ્રગતિ અચાનક અદૃશ્ય થઈ શકે છે. શિક્ષણ, સંશોધન, વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવું જોઈએ. સરકારોએ આગામી કટોકટી માટે સજ્જતામાં સુધારો કરવાની જરૂર છે.