તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપ બાદ ભારતની વાત કરીએ તો દરવર્ષે આશરે 1000 ભૂકંપનાં ઝટકાઓ દેશમાં આવે છે ત્યારે જાણો ક્યાં રાજ્યને ધરતીકંપથી સૌથી વધુ ભય રહેશે...
ભારતનાં અનેક વિસ્તારોમાં આવી શકે છે ભૂકંપ
કુલે 5 ઝોનમાં વિભાજિત કરાયા છે રાજ્ય
ગુજરાતનાં કચ્છ પર છે ભૂકંપનો ભય
તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપે સમગ્ર દુનિયાને હચમચાવી નાખ્યું છે. જો આપણાં દેશની વાત કરીએ તો ગયાં વર્ષે આશરે 1000 ભૂકંપનાં ઝટકાઓ આવ્યાં હતાં જેમાંથી 240 વખત ધરતી કંપી હતી. ભૂકંપનાં વિસ્તારોને પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. ભારતમાં પાંચવા ઝોનમાં આવેલા વિસ્તારોને ખતરામાં માનવામાં આવ્યું છે.
દેશમાં દરવર્ષે આશરે 1000 વખત ભૂકંપ
તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપનાં કારણે અત્યાર સુધી આશરે 3400થી વધુ લોકોનું મોત થઈ ચૂક્યું છે. ત્યારે ભારતની સ્થિતિ જોઈએ તો ભારતમાં દરવર્ષે આશરે 1000 વખત ભૂકંપ આવે છે. આપણાં દેશની ધરતીનાં આશરે 59% ભાગો ભૂકંપનાં ઊચ્ચ ખતરાવાળા ઝોનમાં આવેલા છે જેમાં વધુ પડતાં હિમાલઈ વિસ્તારોનાં નામ શામેલ થે,
ક્યાં ઝોનમાં દેશનો ક્યો હિસ્સો છે શામેલ?
પાંચમાં ઝોનમાં દેશની સંપૂર્ણ જમીનનો 11% હિસ્સો શામેલ છે. ચોથા ઝોનમાં 18% અને ત્રીજા-બીજાં ઝોનમાં 30% ભારતીય વિસ્તારો શામેલ છે. સૌથી વધારે ખતરો ઝોન 4 અને 5 વાળા વિસ્તારોમાં હોય છે.
ઝોન 1
આ ઝોનમાં આવનારાં વિસ્તારો પર કોઈ ભય રહેતો નથી. તેમના પર ભૂકંપનો કોઈ ખતરો રહેતો નથી.
ઝોન 2
ભૂકંપનાં ઝોન 2માં રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુનો કેટલોક હિસ્સો શામેલ છે.
ઝોન 3
આ ઝોનમાં કેરળ, ગોવા, લક્ષદ્વીપ, ઉત્તરપ્રદેશ અને હરિયાણાનો કેટલોક હિસ્સો, ગુજરાત અને પંજાબ, પશ્ચિમ બંગાળનાં કેટલાક હિસ્સાઓ, પશ્ચિમી રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહારનાં હિસ્સાઓ, ઝારખંડનો ઉત્તરી હિસ્સો અને છત્તીસગઢનો કેટલોક વિસ્તાર આવે છે. મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકનાં પણ કેટલાક હિસ્સાઓ અહીં શામેલ છે.
ઝોન 4
આ ઝોનમાં આવનારાં વિસ્તારો પર ભૂકંપ આવવાની શક્યતાઓ સૌથી વધુ રહે છે. તેમાં જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડનાં કેટલાક વિસ્તારો આવે છે. આ સિવાય હરિયાણા, દિલ્હી, પંજાબ, સિક્કિમ, ઉત્તરપ્રદેશનો ઉત્તરી હિસ્સો, બિહાર અને પશ્ચિમ બંગાળનો નાનો ભાગ, ગુજરાત, પશ્ચિમી કિનારાની પાસે મહારાષ્ટ્રનો કેટલોક હિસ્સો અને પશ્ચિમી રાજસ્થાનનો વિસ્તાર પણ શામેલ છે.
ઝોન 5
આ ઝોન સૌથી ભયાનક છે કારણકે આ ઝોનમાં શામેલ થતાં રાજ્યો પર ભૂકંપનો સૌથી વધુ ભય રહેલો હોય છે. આ ઝોનમાં જમ્મૂ-કાશ્મીરનો ભાગ, હિમાચલનો પશ્ચિમી હિસ્સો, ઉત્તરાખંડનો પૂર્વી ભાગ, ગુજરાતનો કચ્છ, ઉત્તરી બિહાર, ભારતનાં તમામ પૂર્વોત્તર રાજ્યો, અંદમાન-નિકોબાર સમૂહ.