બીસીસીઆઈએ સાઉથ આફ્રિકા સામેની વનડે સિરિઝ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરીને શિખર ધવનને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.
સા.આફ્રિકા સામેની વનડે સિરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન
શિખર ધવનને બનાવ્યો કેપ્ટન
શ્રેયર અય્યર વાઈસ કેપ્ટન
સિનિયર ખેલાડીઓને આરામ અપાયો
6 ઓક્ટોબરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સિરિઝ
સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા શિખર ધવનને આ સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે અન્ય સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારતને આફ્રિકા સામે 6 ઓક્ટોબરથી ત્રણ વન ડેની શ્રેણી રમવાની છે.
India's squad for ODI series against South Africa announced. Shikhar Dhawan named captain, Shreyas Iyer to be his deputy
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે
પ્રથમ વન-ડે : 6 ઓક્ટોબર, લખનઉ બપોરે 1.30 pm
બીજી વન-ડે : 9 ઑક્ટોબર, રાંચી 1.30 pm
ત્રીજી વન-ડે : 11 ઓક્ટોબર, દિલ્હી બપોરે 1.30 pm
હાલમાં ટીમ ઈન્ડીયા આફ્રિકા સામે ટી20 સિરિઝ રમી રહી છે
ટીમ ઈન્ડીયા હાલમાં સાઉથ આફ્રિકા સામે ટી20 સિરિઝ રમી રહી છે. પહેલી ટી20 મેચ ભારતે જીતી લીધી છે. રવિવારે બીજી મેચ યોજાવાની છે. સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી 4 ઓક્ટોબરે પુરી થશે, જેના કારણે વર્લ્ડ કપની ટીમમાં સામેલ ખેલાડીઓ આ વન ડે શ્રેણીનો હિસ્સો નહીં બને.
Shikhar Dhawan to lead India's ODI team against South Africa
સાઉથ આફ્રિકા સામેની વનડે સિરિઝમાં સિનિયર ખેલાડીઓ લેવાયા નથી. તેમને ટી20 વર્લ્ડ કપ માટે રિઝર્વ રખાયા છે અને તેને કારણે તેમને થોડા સમયનો આરામ આપવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયા