ભારતમાં ઘણી જગ્યાઓ એવી છે જેને ડરામણી કે ભૂતિયા કહેવામાં આવે છે. 21મી સદીમાં પણ લોકો આ પ્રકારની વાતો પર વિશ્વાસ કરે છે. આ રેલવે સ્ટેશન પર આજે પણ લોકો જતા નથી.
ભારતના સૌથી ડરામણા રેલવે સ્ટેશન
એકલા જતાં પહેલા થઇ જજો સાવધાન
42 વર્ષ સુધી બંધ રહ્યું હતુ આ રેલવે સ્ટેશન
કેટલાક રેલવે સ્ટેશન ખુબ સુંદર હોય છે અને કેટલાક રેલવે સ્ટેશન હાઇટેક હોય છે પરંતુ આ રેલવે સ્ટેશન હોન્ટેડ છે. અહી જવુ લોકો માટે મજબૂરી છે પરંતુ થોડી વારમાં જ તમારા રુંવાડા ઉભા થઇ જાય તેવા સન્નાટાથી બીક લાગવા માંડે છે.
નૈની જંક્શન
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સ્થિત નૈની જંક્શન રેલવે સ્ટેશનને ભૂતિયા રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. રેલવે સ્ટેશન નજીક જેલ છે અને આ જેલમાં દેશને આઝાદી અપાવવામાં સામેલ તેવા ક્રાન્તિકારીઓને રાખવામાં આવ્યા હતા અને તેમણે ઘણી યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. જેલમાં બંધ આ લોકો યાતનાઓના કારણે જ મૃત્યુ પામ્યા હતા. કહેવામાં આવે છે કે આ રેલવે સ્ટેશન પર આત્માઓ ફરે છે.
મૂલુંડ રેલવે સ્ટેશન
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં સ્થિત મુલુંડ રેલવે સ્ટેશન દેશના ભૂતિયા રેલવે સ્ટેશન તરીકે ઓળખાય છે. આ રેલવે સ્ટેશન પર આવતા લોકો અને આસપાસના લોકોએ દાવો કર્યો છે કે અહી લોકોના રડવાનો અને ચીસો પાડવાના અવાજ સંભળાય છે.
ચિત્તુર રેલવે સ્ટેશન
દેશના સૌથી ડરામણા સ્ટેશનમાં આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત ચિત્તુર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. લોકોનું કહેવુ છે કે અહીં એક વાર CRPFનો જવાન હરી સિંહ ટ્રેનમાંથી ઉતર્યો હતો અને ટીટીઇએ મળીને તેને પીટ્યો જેથી તેની મોત થઇ ગઇ હતી. જે બાદ હરિ સિંહની આત્મા ન્યાય માટે ત્યાં જ ભટકતી રહી છે.
બેગુનકોદર રેલવે સ્ટેશન
પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં સ્થિત બેગુનકોદર રેલવે સ્ટેશનની એક કહાણી છે જેમાં કહેવામાં આવે છે કે અહીં આવનારા યાત્રીઓએ સફેદ સાડી પહેરેલી એક ભૂતને જોઇ હતી અને તે બાદ 42 વર્ષો સુધી તે સ્ટેશનને બંધ કરવામાં આવ્યુ હતુ. 2009માં એકવાર ફરી ખોલી દેવામાં આવ્યુ હતુ.