દેશમાં કોરોનાના એક્ટિવ કેસના આંકડા દર રોજ એક રેકોર્ડ સ્તરની નીચે આવી રહ્યા છે. અને હવે કે ગત 527 દિવસના સૌથી નીચલા સ્તર પર છે.
એક દિવસમાં 10 હજાર 197 નવા મામલા
કોરોનાથી 12 હજાર 134 દર્દી સાજા થયા
એક્ટિવ કેસ ફક્ત 1 લાખ 28 હજાર 555 રહી ગયા
એક દિવસમાં 10 હજાર 197 નવા મામલા
દેશમાં કોરોનાના એક દિવસમાં 10 હજાર 197 નવા મામલા નોંધાયા છે. ત્યારે ગત એક દિવસમાં કોરોનાથી 12 હજાર 134 દર્દી સાજા પણ થયા છે. રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના એક્ટિવ કેસના આંકડા દર રોજ એક રેકોર્ડ સ્તરની નીચે આવી રહ્યા છે. અને હવે કે ગત 527 દિવસના સૌથી નીચલા સ્તર પર છે. કોરોનાના કારણે એક દિવસમાં 301 દર્દીના જીવ ગયા છે.
#COVID19 | India reports 10,197 new cases, 12,134 recoveries & 301 deaths in last 24 hrs.
Active caseload stands at 1,28,555 - lowest in 527 days.
Daily positivity rate (0.82%) less than 2% for last 44 days, Weekly Positivity Rate (0.96%) less than 2% for last 54 days. pic.twitter.com/Y3EMMu6GNf
ભારતમાં હવે કોરોનાની સારવાર લેનારા દર્દીના આંકડા ફક્ત 1 લાખ 28 હજાર 555 રહી ગયા છે. ત્યારે રિકવરી દર વધીને 98.28 ટકા રહી ગયો છે. જે સતત માર્ચ 2020 બાદથી ઉચ્ચત્તમ સ્તર પર બનેલો છે. એક્ટિવ કેસ અત્યાર સુધી આવેલા કુલ કેસોના ફક્ત 0. 37 ટકા રહી ગયો છે.
દેશમાં મંગળવારે 61,21,626 લોકોને રસી અપાઈ
ભારત સરકારના આંકડા મુજબ દેશમાં મંગળવારે 61,21,626 લોકોને રસી લગાવવામાં આવી. જેમાંથી 18.48 લાખ લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે. તો 42.72 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દૈનિક સંક્રમણ દર પણ 0.82 ટકા છે અને આ ગત 44 દિવસોથી 2 ટકાની નીચે છે. ત્યારે અઠવાડિક સંક્રમણ દર 54 દિવસોથી 2 ટકાની નીચે છે . ભારતમાં કોરોના રસીકરણ અભિયાન પણ તેજીથી જારી છે અને અત્યાર સુધીમાં કુલ 113.68 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી 75.54 કરોડ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ વાગ્યો છે. જેમાં 38.07 કરોડ લોકોને બન્ને ડોઝ લાગી ચૂક્યા છે. જ્યારે 37. 47 કરોડ લોકો એવા છે જેમને અત્યાર સુધીમાં કોરોનાનો એક ડોઝ લાગ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર દેશમાં અત્યાર સુધી 40.3 ટકા વયસ્કોને રસીના બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે 40.2 ટકા લોકોને એક જ ડોઝ લાગ્યો છે.