નેપાળ દ્વારા ભારતીય ક્ષેત્રને પોતાના નવા નક્શામાં દર્શાવવા અને આ રાજકીય નકશાને કેબિનેટમાં પાસ કરાવવા પર ભારતીય વિદેશ મંત્રાલયે આકરો વિરોધ વ્યક્ત છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે એકપક્ષીય કાર્યવાહી ઐતિહાસિક તથ્યો, પ્રમાણો પર આધારિત નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે નેપાળ દ્વારા નવો નકશો જાહેર કરવો, સીમા સંબંઘિત મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવાના દ્વિપક્ષીય સમજની વિરુદ્ધ છે.
ભારતીય વિદેશ મંત્રાલય કહ્યું નકશા પર નેપાળે અયોગ્ય દાવા કરવાથી બચવું જોઇએ
નેપાળે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખડંતાનું સન્માન કરવું જોઇએ : ભારત
ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે નકશા પર નેપાળે અયોગ્ય દાવા કરવાથી બચવું જોઇએ. વિદેશ મંત્રાયલે કહ્યું છે કે નેપાળે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખડંતાનું સન્માન કરવું જોઇએ અને આ પગલુ વાતચીતથી સીમા વિવાદને દૂર કરવાની ભાવનાની વિરુદ્ધ છે. આ પ્રકારની એકતરફી કાર્યવાહી ઐતિહાસિક તથ્યો અને પૂરાવા પર આધારિત નથી.
નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગયાવલી (Pradeep Kumar Gyawali) એ તેની જાહેરાતના કેટલાક સપ્તાહ પહેલા કહ્યું હતું કે કૂટનીતિક પહેલો દ્વારા ભારત સાથે સીમા વિવાદ ઉકેલવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
નેપાળની સરકારે નકશામાં ભારતના ત્રણ સ્થળોને સામેલ કર્યા
નેપાળની સરકારે નવા રાજકીય નકશાને સત્તાવાર રીતે જાહેર કરી દીધો છે. આ નવા નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પણ સામેલ કરવામાં આવ્યા છે. સોમવારે થયેલી નેપાળની કેબિનેટ બેઠકમાં ભૂમિ સંસાધન મંત્રાલયે નેપાળનો સંશોધિત નકશો જાહેર કર્યો હતો, જેનું સૌએ સમર્થન કર્યું હતું.
ત્યારબાદ આજે એટલે કે બુધવારે ભૂમિ સંસાધન મંત્રી પદ્મા આર્યાએ સત્તાવાર રાજકીય નકશો જાહેર કરી દીધો છે. આખો મામલો એવો છે કે 8 મેએ ભારતે ઉત્તરાખંડના લિપુલેખથી કૈલાશ માનસરોવર માટે રોડનું ઉદઘાટન કર્યું હતું. જેને લઇને નેપાળે વિરોધ દર્શાવ્યો હતો. નેપાળે બાદમાં નવો રાજકીય નકશો જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.
નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ પણ કહ્યું હતું કે તેઓ એક ઇન્ચ જમીન ભારતને નહીં આપે. જ્યારે સરકારના એક મંત્રીએ કહ્યું કે સરકાર ભારતની તરફથી થઇ રહેલા અતિક્રમણને લાંબા સમયથી સહન કરી રહ્યું હતું, જોકે ભારતીય રક્ષા મંત્રીએ લિપુલેખમાં નવા રોડનું ઉદઘાટન કરી દીધું હતું.
નેપાળનો દાવો
સુગૌલી સંધિ મુજબ નેપાળ કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા પર પોતાનો દાવો રજૂ કરે છે. નેપાળ અને બ્રિટિશ ભારત વચ્ચે 1816માં સુગૌલીની સંધિ થઇ હતી, જે હેઠળ બંને વચ્ચે મહાકાલી નદીને બોર્ડર માનવામાં આવી હતી. જ્યારે વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારત-નેપાળ સીમા વિવાદ મહાકાલી નદીના ઉત્પતિને લઇને જ છે.