રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિંગ અભિયાન (એનએસએમ)હેઠળ નિર્મિત ‘પરમ સિદ્ધિ’ નામના ભારતીય સુપર કોમ્પ્યૂટરને વિશ્વના 500 સૌથી શક્તિશાળી કોમ્પ્યૂટરોની યાદીમાં 63મું સ્થાન મળ્યું છે.
પુરગ્રસ્ત વિસ્તારોમાં પૂર્વાનુમાન લગાવી શકાશે
સુપર કોમ્પ્યૂટરના સેક્ટરમાં ભારત દુનિયાની સૌથી મોટી અવસંરચનાઓના કેન્દ્રમાંનું એક છે
આ ઐતિહાસિક ક્ષણ છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (ડીએસટી)એ મંગળવારે આ જાણકારી આપી હતી. ડીએસટીના સચિવ આશુતોષ શર્માએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ છે. સુપર કોમ્પ્યૂટરના સેક્ટરમાં ભારત દુનિયાની સૌથી મોટી અવસંરચનાઓના કેન્દ્રમાંનું એક છે અને આ પરમ સિદ્ધિ -એઆઈના રેકિંગે સાબિત કરી આપ્યું છે.
તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે પરમ સિદ્ધિ એઆઈથી અમારા રાષ્ટ્રીય એકેડેમિક, વિકાસ તથા અનુસંધાન સંસ્થાન મજબૂત થશે. આ ઉપરાંત રાષ્ટ્રીય જ્ઞાન નેટવર્ક પર ફેલાયેલા ઉદ્યોગ અને સ્ટાર્ટઅપને પણ લાભ મળશે. ડીએસટીએ કહ્યું કે એઆઈ પ્રણાલીથી સ્વાસ્થ્ય સેવાઓને લાભ થશે અને પુરગ્રસ્ત વિસ્તારોમાં પૂર્વાનુમાન લગાવી શકાશે.