કર્ણાટકમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ નોંધાવાની સાથે જ ભારતનો કુલ કેસનો આંકડો 36 પર પહોંચ્યો છે.
ભારતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધવા લાગી
આજે દેશમાં વધુ 4 કેસ નોંધાયા
કુલ કેસનો આંકડો 37 પર પહોંચ્યો
ભારતમાં ઓમિક્રોનના કેસ વધવા લાગ્યા છે. રવિવારે ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા છે, કર્ણાટકમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ નોંધાયો છે જ્યારે ચંદીગઢ અને આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના નાગપુરમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. ભારતના કુલ કેસનો આંકડો 37 થયો છે.
સાઉથ આફ્રિકાથી આવેલો 34 વર્ષીય શખ્સમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યાં
સાઉથ આફ્રિકાથી આવેલો 34 વર્ષીય શખ્સમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યાં હતા, તેનો ટેસ્ટ કરવામાં આવતા તે પોઝિટીવ આવ્યો છે. કર્ણાટકના હેલ્થ મિનિસ્ટર ડોક્ટર સુધાકરે જણાવ્યું કે ઓમિક્રોન પોઝિટીવ શખ્સને આઈસોલેટ કરી દેવાયો છે અને તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની સાથે સંપર્કમાં આવેલા 5 પ્રાઈમરી અને 15 સેકન્ડરી સંપર્કોને શોધી કાઢવામાં આવ્યાં છે અને તેમના સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલાયા છે.
Third case of Omicron detected in Karnataka. A 34-year-old returnee from South Africa has tested positive. He is isolated & being treated in a govt hospital. 5 primary and 15 secondary contacts traced and their samples sent for testing: Karnataka Health Minister Dr Sudhakar K pic.twitter.com/skj0Zdb5uR
કર્ણાટકના મંત્રીએ કહ્યું કે ઓમિક્રોન પોઝિટીવ યુવાને વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા અને હાલમાં તેને સંસ્થાગત ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યો છે.
ચંદીગઢમાં ઓમિક્રોનનો પહેલા કેસ નોંધાયો
તાજેતરમાં વિદેશથી આવેલા ચંદીગઢના 20 વર્ષના યુવાનમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યાં છે. તેનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ચંદીગઢમાં ઓમિક્રોનનો આ પહેલો કેસ છે. આ યુવાન ઈટાલીમાં રહે છે અને તાજેતરમાં ચંદીગઢ આવ્યો હતો.
ઓમિક્રોનની વચ્ચે ભારત સરકાર સતર્ક
ઉલ્લેખનીય છે કે વધતા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા ખતરાની વચ્ચે ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. શનિવારે કેન્દ્ર સરકારના 3 રાજ્યોને આઠ જિલ્લા તરફ ધ્યાન આપતા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે સ્થિતિ પર ભારે નજર રાખે અને નવા મામલાને ક્લસ્ટર પર નિયંત્રણ રાખવાનું જણાવ્યું છે.