ઘણા સમય બાદ શિખર ધવન અને રવિચંદ્રન અશ્વિન વનડેમાં પરત આવ્યાં
શિખર ધવન અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓ લાંબા સમય બાદ વન ડે ટીમમાં પરત ફરી રહ્યા છે. રવિચંદ્રન અશ્વિન તાજેતરમાં ટી-૨૦ ફોર્મેટમાં પાછો ફર્યો હતો અને ટી-૨૦ વર્લ્ડ કપ પણ રમ્યો હતો. શિખર ધવને શ્રીલંકા સામેની શ્રેણીની ટીમની કમાન સંભાળી હતી પરંતુ ત્યાર બાદ ભારતે પોતાની સેકન્ડ ક્લાસ ટીમને પ્રવાસ માટે મોકલી હતી.
વિરાટ કોહલી પર BCCIએ મૌન તોડ્યું
વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની બરખાસ્તગી અંગે ચીફ સિલેક્ટર ચેતન શર્માએ જણાવ્યું કે ઘણા સમય પહેલા વિરાટ કોહીલને જણાવી દેવાયું હતું કે તેને કેપ્ટન પદેથી દૂર કરાઈ રહ્યો છે. વનડે સીરિઝની તો હવે જાહેરાત થઈ છે પરંતુ તે પહેલા કોહલીને આ અંગે જાણ કરી દેવાઈ હતી. ચેતન શર્માએ કહ્યું કે, વિરાટે વર્લ્ડકપ પહેલા જાહેરાત કરી ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. તમામ પસંદગીકારોએ વર્લ્ડ કપ સુધી રહેવાની અને નિર્ણય પર વિચાર કરવાની વાત કરી હતી.