આપણા દેશમાં, આવા ઘણા કિલ્લાઓ હજી પણ હૈયાતમાં છે, જે રહસ્યમય કિલ્લા તરીકે ઓળખાય છે. આમાંનો એક ગઢકુંડારનો કિલ્લો છે. આ કિલ્લો દેશનો સૌથી રહસ્યમય કિલ્લો તરીકે ઓળખાય છે. ગઢકુંડારનો કિલ્લો ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરથી આશરે 70 કિમી દૂર સ્થિત છે.
એક અનોખો રહસ્યમય કિલ્લો
જાનૈયાઓ થઇ ગયા હતા ગુમ
કોણે બંધાવ્યો હતો આ કિલ્લો તેની નથી માહિતી
આ કિલ્લો 11 મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો પાંચ માળનો છે. જેના ત્રણ માળ ઉપર છે અને બે માળ જમીનની અંદર છે. આ કિલ્લો ક્યારે અને કોણે બનાવ્યો તે વિશે કોઈ માહિતી નથી. પરંતુ આ કિલ્લો 1500 થી 2000 વર્ષ જૂનો માનવામાં આવે છે.
સુરક્ષાના કારણોસર કિલ્લાની અનોખી કરાઇ છે રચના
સુરક્ષા માટે બનાવવામાં આવેલ આ કિલ્લો લોકોને મૂંઝવણમાં મૂકે છે. આ કિલ્લો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે ચારથી પાંચ કિલોમીટર દૂરથી સ્પષ્ટ દેખાય છે, પરંતુ નજીક આવતાની સાથે જ તે દેખાતો બંધ થઇ જાય છે. જે રસ્તાથી કિલ્લો દૂર દેખાય છે, જો તમે તે રસ્તાથી જાવ તો રસ્તો કિલ્લાની જગ્યાએ બીજે ક્યાંક જાય છે, જ્યારે કિલ્લાનો બીજો રસ્તે આવેલો છે.
જાન ગુમ થઈ ગઇ
આ કિલ્લાની ગણતરી દેશના સૌથી રહસ્યમયી કિલ્લાઓમાં થાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે, થોડા સમય પહેલા અહીં નજીકના જ એક ગામની જાન આવી હતી અને જાનૈયાઓ આ કિલ્લામાં ફરી રહ્યા હતા અને ત્યાંથી ફરતા-ફરતા બેઝમેન્ટમાં ચાવ્યા ગયા. ત્યારબાદ અચાનક તે લોકો ગાયબ થઇ ગયા. આ જાનમાં 50-60 લોકો હતા જેનો આજ દિવસ સુધી કોઇને પત્તો મળ્યો નથી. જો કે, ત્યારબાદ પણ એવી અનેક ઘટનાઓ બની ત્યારથી તેના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.
કિલ્લામાં છૂપાયેલો ખજાનો
ગઢકુંડારનો કિલ્લો એક ભુલ-ભલામણો છે. જે લોકો આ કિલ્લાની મુલાકાત લેતા હોય છે તેઓ ઘણીવાર ભુલા પડી જાય છે. આ કિલ્લો દિવસ દરમિયાન અંધકારમય રહે છે, તેથી લોકોપણ દિવસ દરમિયાન તેની મુલાકાત લેતા અચકાતા હોય છે. એવું માનવામાં આવે છે કે આ કિલ્લામાં એક ખજાનાનું રહસ્ય છૂપાયેલું છે. જેની શોધમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નિષ્ણાતો જણાવે છે કે અહીંના રાજાઓને સોના અને હીરા અને ઝવેરાતની કમી નહોતી. જેને આજે પણ આ કિલ્લામાં દાટવામાં આવ્યું છે પરંતુ આજદિન સુધી કોઈ તેની શોધ કરી શક્યું ન હતું.