સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) ની રિપોર્ટ મુજબ 31 મેએ પૂર્ણ થયેલા સપ્તાહમાં ભારતનો બેરોજગારી દર 23.48 ટકા પર પહોંચી ગયો છે. આ એપ્રિલમાં 23.52 ટકાથી થોડો ઓછો છે. આ પહેલા 24 મેએ ખતમ થયેલા સપ્તાહમાં બેરોજગારી દર 24.3 ટકા નોંધવામાં આવ્યો હતો. આ લૉકડાઉન દરમિયાનના ગત 8 સપ્તાહ દરમિયાન સરેરાશ 24.2 ટકા બેરોજગારી દરથી પણ વધારે હતો.
CMIEની રિપોર્ટ મુજબ 31 મેએ પૂર્ણ થયેલા સપ્તાહમાં ભારતનો બેરોજગારી દર 23.48 ટકા થયો
24 મેએ ખતમ થયેલા સપ્તાહમાં બેરોજગારી દર 24.3 ટકા નોંધવામાં આવ્યો હતો
ગત સપ્તાહ 38.7 ટકા રહ્યો શ્રમ ભાગીદારી દર
24 મેએ પૂર્ણ થયેલા શ્રમ ભાગીદારી દર 38.7 ટકા હતો. પહેલાના સપ્તાહમાં આ 38.8 ટકાથી ઓછો હતો. શ્રમિક ભાગીદારી દરમાં આ ઘટાડો ત્રણ સપ્તાહની સતત વૃદ્ધિના બાદ આવે છે. જ્યારે લૉકડાઉન દરમિયાન બેરોજગારી દર લગભગ 24 ટકા સ્થિર રહ્યો છે. બેરોજગારી દર માર્ચમાં 8.8 ટકાથી વધીને એપ્રિલમાં 23.5 ટકા થઇ ગયો હતો.
2020માં સતત વધી રહ્યો છે બેરોજગારી દર
શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સતત બેરોજગારી દર વધી રહ્યો છે. જાન્યુઆરી 2020માં શહેરી બેરોજગારી દર 9.70 ટકા હતો. જે મે મહીનામાં 16.09 ટકાથી વધીને 25.79 ટકા પર પહોંચી ગયો. જાન્યુઆરી 2020માં ગ્રામીણ બેરોજગારી દર 6.06 ટકા હતો, જે મે મહીનામાં 16.42 ટકાથી વધીને 22.48 ટકા પર પહોંચી ગયો.
એપ્રિલમાં ઘટ્યો હતો એલપીઆર
બીજી તરફષ શ્રમ ભાગીદારી દર માર્ચમાં 41.9 ટકાથી 6.3 ટકા ઘટીને એપ્રિલમાં 35.6 ટકા થઇ ગયો. શ્રમ ભાગીદારી દર (એલપીઆર) મહીનામાં લગભગ સપ્તાહ-દર-સપ્તાહ વધી રહ્યો છે. 17 મેએ પૂર્ણ થયેલા સપ્તાહ દરમિયાન આ 38.8 ટકા પર પહોંચી ગયો.
નોકરી પર પરત ફર્યા 2 કરોડ લોકો
સીએમઆઇઇ રિપોર્ટ મુજબ, સરકાર દ્વારા લગાવેલા લૉકડાઉનને સરળ કર્યા બાદ મેમાં લગભગ 20 મિલિયન (2 કરોડ) લોકો નોકરી પર પાછા ફર્યા છે. તેના કારણે ભારતની રોજગારી દર મે મહીનામાં 2 ટકા વધીને 29 ટકા પર પહોંચી ગઇ, જે એપ્રિલમાં 27 ટકા હતી. સીએમઆઇઇના અનુમાન મુજબ 25 માર્ચે શરૂ થયેલા લૉકડાઉનને કારણે દેશના 122 મિલિયન લોકોને નોકરીથી હાથ ધોવો પડ્યો છે. CMIEના અનુસાર, મે મહીનાના બાદ શ્રમ ભાગીદારી દર (એલપીઆર) વધી રહ્યો છે, 17 મેએ ખતમ થયેલા સપ્તાહમાં આ 38.8 ટકા રહ્યો હતો.
દેશમાં કોરોનાનો અસર
દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 1,90,622 થઇ ગયા છે. તેમા 93,348ની રિપોર્ટ પોઝિટિવ છે. જ્યારે 91,855 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 5,408 થઇ ચૂકી છે.