ભારતની સૌથી લાંબી રેલ ટનલ તૈયાર થઈ ગઈ છે. આ ટનલ જમ્મુ કાશ્મીરને દેશના અન્ય ભાગ સાથે કરશે કનેક્ટ કરશે. જેથી લોકોને મુસાફરીમાં ઘણી રાહત મળી રહેશે.
ભારતની સૌથી લાંબી ટનલ તૈયાર
જમ્મુ કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડશે
પહાડો વચ્ચેથી ટનલ કાઢવી વૈજ્ઞાનિકો માટે મોટી ચેતવણી
દેશની સૌથી લાંબી રેલ સુરંગનું ખોદકામ હાલ પૂર્ણ થઈ ગયું છે. આ સુરંગ જમ્મુ કાશ્મીરને દેશના દરેક છેડા પર જોડશે. ANIના રિપોર્ટ પ્રમાણે ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પરિયોજના અંતર્ગત કટરા-બનિહાલઅંડમાં સુંબરથી અર્પિચલા સુધી સુરંગનું ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. બંને શહેરો વચ્ચે સુરંગની લંબાઈ 12.75 કિમી છે. આ મામલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની કુમાર દ્વારા પણ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે.
Northern Railway achieves historic milestone :
Longest transportation tunnel of India, 12.75 kms long, T-49 in Udhampur-Srinagar-Baramula Rail Link (USBRL) Project is made through today.#Infra4Indiapic.twitter.com/9EyDMiow2l
અશ્વિની કુમારના જણાવ્યા પ્રમાણે સુરંગ કટરા-બનિહાલ સેકશન પર સુંબર અને અર્પિચલા સ્ટેશન વચ્ચે ટનલ 49 દેશની સૌથી લાંબી સુરંગ છે. કટરા અને બનિહાલ વચ્ચે 110 કિલોમીટરની લાંબી રેલ્વે લાઈનનું નિર્માણનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આ લાઈનમાં ઘણા પુલ અને સુરંગો બનાવામાં આવી રહી છે. જે આગામી બે વર્ષમાં પૂર્ણ થઈ જશે.
આ યોજમા ઉધમપુર-શ્રીનગર બારામુલા રેલ્વે લાઈનનો ભાગ છે. બારામુલા સુધી 326 કિલોમીટરની રેલ્વે લાઈન નાખવામાં આવી રહી છે. 326 કિલોમીટરમાં 215 કિલોમીટરનું રેલમાર્ગ કાર્ય પૂર્ણ થઈ ચુક્યું છે. કટરા-બનિહાલ રેલ સેકશનમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. જે 2023 સુઘીમાં પૂર્ણ થશે તેવી આશા સેવાઈ રહી છે.
વૈજ્ઞાનિકો માટે મોટી ચેતવણી
ઉલ્લેખનીય છે કે કટરા બનિહાલ ખંડ હિમાલયના નીચેના ભાગથી પહાડી વિસ્તારોમાં થઈને જાય છે. જેથી ઘણી સુરંગોનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. દુર્ગમ પહાડો વચ્ચે સુરંગ નિકાળવી વૈજ્ઞાનિકો માટે મોટી ચેતવણી છે. ટી-49 ટનલમાં બે ટ્યૂબ છે. એક મેઈન ટનલ છે તો બીજી એસ્કેપ ટનલ છે. સુરંગ નિર્માણ માટે ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંહ મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એક ડ્રીલ અને બ્લાસ્ટ પ્રક્રિયા છે.