છેલ્લાં ઘણા દિવસોથી ધ કપિલ શર્મા શો બંધ થવાની ચર્ચા થઇ રહી છે. ખરેખર, આ શોના મહાનુભાવો ટૂંક સમયમાં યુએસ ટૂર માટે નિકળવાના છે, જેનાથી અંદાજ લગાવવામાં આવ્યો છે કે શો બંધ થવાનો છે.
સોની ટીવી પર આ નવા શોની જાહેરાત કરવામાં આવી
સોની ટીવીના નવા ટ્વિટે કર્યો ઈશારો
કપિલના વ્યસ્ત શેડ્યુલના કારણે કપિલ શર્મા શો બંધ થઇ રહ્યો છે
તો શું કપિલનો શો બંધ થઇ જશે?
જો કે, હજી તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. પરંતુ સોની ટીવીના નવા ટ્વિટે આ ઈશારો કર્યો છે કે ગમે તેમ આ વાતમાં દમ છે. ખરેખર, હાલમાં સોની ચેનલ દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટ બાદ શો બંધ થવાની અટકળો પહેલાથી પણ વધુ તેજ થઇ છે. અત્યારે કપિલની ટીમ તરફથી આ અંગે કશું કહેવામાં આવ્યું નથી. શોની નીચે જતી ટીઆરપી અને કપિલના વ્યસ્ત શેડ્યુલના કારણે શોને બંધ કરાઇ રહ્યો છે. તો હવે આ શો બંધ થવાની અટકળોને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે સોની ટીવી પર આ નવા શોની જાહેરાત કરવામાં આવી.
હાલમાં ટ્વિટર પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ચેનલે ટૂંક સમયમાં ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન શો શરૂ થયાની જાણકારી આપી છે. એવામાં હવે એવી અટકળો લગાવવામાં આવી છે કે આ શો કપિલની જગ્યા લેશે. આ એક રિયાલિટી શો હશે. જેમાં દેશના કોમેડિયન ભાગ લઇ શકશે. નવા શો અંગે વાત કરીએ તો આ કોમેડી શો ઘણા સમય બાદ નાના પડદે વાપસી કરી રહ્યો છે. ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જની 5 સફળ સિઝન બાદ આ શો બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે લગભગ 1 દાયકા બાદ આ શોની ફરીથી વાપસી થઇ રહી છે. કહેવામાં આવ્યું છે કે કદાચ આ શો દ્વારા નવજોત સિંહ સિદ્ધૂ વાપસી કરી શકે છે.