ભારતીય સ્ટેટ બેંકની રિસર્ચ રિપોર્ટ ઈકોરૈપના જણાવ્યા અનુસાર દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDP નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિકમાં 5.8 ટકાથી વધવાની શક્યતા છે.
ગ્રામિણ લોકો માટે ખુશખબર આવી
મોદી સરકાર ઘર ચલાવવા માટે રૂપિયા આપી શકે છે
SBIના રિપોર્ટમાં થયો આ ખુલાસો
ભારતીય સ્ટેટ બેંકની રિસર્ચ રિપોર્ટ ઈકોરૈપના જણાવ્યા અનુસાર દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDP નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિકમાં 5.8 ટકાથી વધવાની શક્યતા છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સરકાર ગ્રામિણ ગરીબોને 50 હજાર રૂપિયા સુધી આજીવિકા લોન રજૂ કરી શકે છે.
અનુમાનિત જીડીપી ઘોષિત
દેશની અર્થવ્યવસ્થા 2021-22ના બીજા ત્રિમાસિકમાં 8.4 ટકાના દરથી વધ્યો હતો. જો કે, જીડીપી વૃદ્ધિ દર જૂલાઈ સપ્ટેમ્બરમાં તેની પાછલા ત્રિમાસિકમાં 20.1 ટકા વૃદ્ધિની સરખામણીએ ઓછો હતો. નેશનલ સ્ટેટિકલ ઓફિસ એટલે કે, એનએસઓ 28 ફેબ્રુઆરીએ ચાલૂ નાણાકીય વર્ષના ત્રિમાસિક તિમાહી માટે જીડીપી અનુમાન ઘોષિત કરશે.
વાર્ષિક જીડીપી દર
એસબીઆઈએ રિપોર્ટમાં શુક્રવારે કહ્યું હતું કે, એસબીઆઈ નાઉકાસ્ટિંગ મોડલ અનુસાર નાણાકીય વર્ષ 2021-22ની ત્રિમાસિક અનુમાનિત જીડીપીનો વૃદ્ધિ દર 5.8 ટકા રહેશે. સમગ્ર વર્ષનો જીડીપી અનુમાન 9.3 ટકાથી ઘટીને 8.8 ટકા કરી દીધો છે.
50 હજાર સુધીની આજીવિકા આપવાની તૈયારી
નાઉકાસ્ટિંગ મોડલ ઓદ્યોગિક ગતિવિધિઓ, સેવા ગતિવિધિઓ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાથી જોડાયેલા 41 ઉચ્ચ આવૃતિ સંકેતકો પર આધારિત છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, ઘરેલૂ આર્થિક ગતિવિધિઓમાં સુધારના આધારે હાલમાં વ્યાપક થવાનું બાકી છે. કારણ કે, ખાનગી વેચાણ મહામારીથી પહેલાની સરખામણીએ ઓછું છે. રિપોર્ટે ભલામણ કરી છે કે, સરકાર ગ્રામિણ ગરીબોને 50 હજાર રૂપિયા સુધી આજીવિકા દેવાની રજૂઆત કરી શકે છે.
ભારતની અર્થવ્યવસ્થા મોટા દેશોમાં સૌથી ઝડપી ગતિએ વધશે
અહીં ઉલ્લેખનીય છે કે, નાણામંત્રાલય તરફથી માસિક આર્થિક સમીક્ષા મુજબ સામાન્ય બજેટ 2022-23માં સરકાર દ્વારા કરવામાં આવેલી અલગ અલગ પહેલોના દમ પર ભારતીય અર્થવ્યવસ્થા સૌથી મોટા દેશમાં સૌથી ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે. સમીક્ષા રિપોર્ટમાં કહેવાયુ છે કે, પીએલઆઈ યોજના અને માળખાગત ઢાંચામાં સાર્વજનિક પૂંજીગત રોકાણના કારણે મેન્યુફેક્ચરિંગ અને નિર્મામ ક્ષેત્રે વૃદ્ધિ મુખ્ય વાહક હશે.